AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad : રખડતા ઢોરનો આતંક યથાવત ! વલસાડમા આખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરીનો માહોલ,

હાઇકોર્ટના હુકમ બાદ પણ રખડતા ઢોરને પકડવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ સાબિત થતા લોકો રોષે ભરાયા છે. આ આખલા યુદ્ધનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

Valsad : રખડતા ઢોરનો આતંક યથાવત ! વલસાડમા આખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરીનો માહોલ,
stray cattle
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 2:11 PM
Share

વલસાડ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે ગ્રીન પાર્ક સોસાયટીમાંથી આખલાનો આતંક સામે આવ્યો છે. જયાં આખલા યુદ્ધના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાહેર રોડ પર વિફરેલા આખલાઓએ ઘર આગળ મુકેલા વાહનોને નુકસાન પહોંચાડયું હતું.

આ પણ વાંચો : Gujarati Video: વલસાડની ઓરંગા નદીના પટમાં ડ્રેજિંગના બહાને સામે આવી રેતી-ચોરી, વાંચો જિલ્લાના તમામ સમાચાર

હાઇકોર્ટના હુકમ બાદ પણ રખડતા ઢોરને પકડવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ સાબિત થતા લોકો રોષે ભરાયા છે. આ આખલા યુદ્ધનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. રખડતા ઢોર પકડવામાં ન આવતા અહીં તંત્ર સામે અનેક સવાલ ઉભા થાય છે.

મહેસાણા – વિસનગર રોડ પર રખડતા ઢોરનો આતંક

અગાઉ મહેસાણા-વિસનગર રોડ પર રખડતા ઢોરને કારણે 51 વર્ષના વેપારીનું મોત થયુ હતું. તેઓ બાઈક પર જતા હતા ત્યારે અચાનક વચ્ચે ઢોર આવી જતા તે નીચે પડ્યા હતા જેમા તેમને ગંભીર ઈજા આવી હતી અને હોસ્પિટલમાં સારવાર માટ ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી હતી.

જેતપુરમાં ઢોરનો આતંક

જેતપુરમાં છેલ્લા એક સપ્તાહમાં રખડતા ઢોરના આતંકની ઘટના બની હતી. આ પહેલા ગત 29 ડિસેમ્બરના રોજ શહેરના દેસાઇવાડી વિસ્તારમાં આવેલા શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રખડતી ગાયે વૃદ્ધાને અડફેટે લેતા તેમને ઘણી ઇજાઓ પહોંચી હતાં. વૃદ્ધા તેમના એપાર્ટમેન્ટમાં જ હતા તે દરમ્યાન રખડતી ગાય એપાર્ટમેન્ટમાં ઘૂસી ગઇ અને તેના પર હુમલો કર્યો હતો.

તંત્ર ઢોર પકડવાની કામગીરીના અનેક દાવાઓ કર્યો હતો, પરંતુ દરેક મહાનગરો અને શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો હતો જેના કારણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. આ બનાવથી ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ નગરપાલિકા પર રોષ ઠાલવ્યો હતો તેમજ નક્કર પગલાં લેવાની માંગણી કરી હતી. જોકે આવી તમામ ઘટનાઓને પગલે રાજ્ય સરકાર પણ કોઈ નક્કર નિર્ણય લેતે જરૂરી બની ગયું હતું.

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">