યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ જણાવી આપવીતિ, અંતિમ ચાર્ટર્ડ ફ્લાઇટમાં વલસાડની વિદ્યાર્થિની પરત ફરી

યુક્રેનમાં પોતાના બાળકોને ફસાયેલા જોઇને ગુજરાતમાં તેમના માતા-પિતા ચિંતામાં મુકાયા છે. સરકાર પાસે જલ્દીમાં જલ્દી તેમના બાળકો પરત ફરે તેવી માગ કરી રહ્યા છે.

યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ જણાવી આપવીતિ, અંતિમ ચાર્ટર્ડ ફ્લાઇટમાં વલસાડની વિદ્યાર્થિની પરત ફરી
Gujarati students narrate tale of current Ukraine crisis after Russian invasion
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 12:42 PM

યુક્રેન (Ukraine)માં વણસેલી પરિસ્થિતિ વચ્ચે હજારો લાખો ભારતીય વિદ્યાર્થીઓ (Indian students)ફસાયા છે. પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે જુદા જુદા ક્ષેત્રમાં ડિગ્રી હાંસલ કરવા ગુજરાત(Gujarat)ના પણ વિદ્યાર્થીઓ યુક્રેન ગયા હતા. પરંતુ યુદ્ધના કારણે ત્યાંની દશા બગડી છે. આથી વિદ્યાર્થીઓએ ભારત પોતાના વતન આવવું છે અને હવે તે સરકાર પાસે મદદ માગી રહ્યા છે.

ગુજરાતમાંથી યુક્રેન ભણવા ગયેલા હજારો વિદ્યાર્થીઓ ફસાયા છે. તેઓ ભારત પરત આવવા સરકાર પાસે મદદ માગી રહ્યા છે. બે દિવસ પહેલા યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લઇ એક ફ્લાઇટ ભારત પરત આવી હતી. ત્યારે હવે યુક્રેનથી ઉપડેલી અંતિમ ચાર્ટર્ડ ફ્લાઈટમાં પણ 180 જેટલા વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે. જેમાં વલસાડની અનેરી પટેલ નામની વિદ્યાર્થિની વતન પરત પહોંચી છે.

વલસાડની અનેરી પટેલ યુક્રેનથી દિલ્લી અને ત્યાંથી ફ્લાઈટ મારફતે પોતાના વતન પહોંચી છે. ઘરે પરત ફરતાં જ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. અનેરીએ કહ્યું કે સામાન્ય રીતે યુક્રેનથી ભારત આવવાની ટિકિટ 30થી 38 હજાર રૂપિયા થાય છે. પરંતુ આવા સંજોગોમાં ટિકિટ જ નહોતી મળતી. જેથી તેઓએ એજન્ટનો સંપર્ક કર્યો હતો અને 55 હજાર રૂપિયામાં ચાર્ટર્ડ ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી હતી. હજુ તેની યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં જ છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ગુજરાતના હજારો વિદ્યાર્થી અટવાયા છે ત્યારે મહેસાણાની વિદ્યાર્થિની ક્રિષ્ના બારોટ બે દિવસ પહેલા જ યુક્રેનથી પરત ફરી છે. ક્રિષ્નાએ યુક્રેનના લોકોમાં ભય હોવાનું જણાવ્યું. જો કે ઘરમાં જ કેદ વિદ્યાર્થીઓને કોઈ ખતરો ન હોવાની સ્પષ્ટતા કરી. ક્રિષ્ના બારોટે કહ્યું કે ભારતીય દૂતાવાસે કોઈ મદદ કરી નથી. હાલમાં એરપોર્ટ બંધ હોવાથી કોઈ પરત ફરી શકે તેવી શક્યતા નથી.

યુક્રેનમાં પોતાના બાળકોને ફસાયેલા જોઇને ગુજરાતમાં તેમના માતા-પિતા ચિંતામાં મુકાયા છે. સરકાર પાસે જલ્દીમાં જલ્દી તેમના બાળકો પરત ફરે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો-

Ahmedabad: ફરજીયાત ઓફલાઇન શિક્ષણ સામે હોસ્ટેલ્સ માટે કોઇ SOP જાહેર નહીં, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો-

આવતીકાલે અમદાવાદનો સ્થાપના દિવસ, એલિસ બ્રિજના પૂર્વ છેડે શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, જાણો શહેરનો ઇતિહાસ

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">