GUJARAT : હવે સરકાર ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન શરૂ કરશે

GUJARAT : મારુ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન બાદ હવે સરકાર ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ' અભિયાન શરૂ કરશે. રવિવારથી મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ' અભિયાન શરૂ થશે.

| Updated on: May 14, 2021 | 7:40 PM

GUJARAT : મારુ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન બાદ હવે સરકાર ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન શરૂ કરશે. રવિવારથી મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન શરૂ થશે. જેના માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. આ માટે શહેરી વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ સંયુક્ત રીતે કામ કરશે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, કોવિડ અંગે વધારે જનજાગૃતિ માટે નગરપાલિકાના સભ્ય, મનપાના કોર્પોરેટર સાથે સંકલન કરી કાર્યક્રમ કરીશું. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ‘સરકારનું પહેલું કામ સેનેટાઇઝેશન થાય અને વોર્ડ સ્વચ્છ બને’

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ‘માર્ચમાં 145 મેટ્રિક ટનની જરૂર પડતી હતી, આજે 1100 મેટ્રિક ટન જથ્થાની જરૂર પડે છે’ રિકવરી રેટ સુધર્યો હોવાની અને સરકારે 1 લાખ કરતા વધારે બેડની સુવિધા પૂરી પાડી હોવાનું પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું.

હવે ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન મનપા અને નગરપાલિકાઓમાં ચાલશે. જેમાં સેનેટાઇઝેશન થકી વોર્ડને સ્વચ્છ બનાવવું પ્રથમ કામ રહેશે.આ અભિયાન માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરાઇ છે. શહેરી વિકાસ અને આરોગ્ય વિભાગ મળીને આ કામ કરશે. ગુજરાતમાં રિકવરી રેટ સુધરી રહ્યો છે હોવાનું ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે. સાથે જ ઓક્સિજનની ખપતને પહોંચી વળવા સરકાર સતત કાર્યરત હોવાનું પણ પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું છે.

હાલ જયારે કોરોનાની બીજી લહેરની રાજયમાં ભારે અસર વર્તાઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા કદમ ઉઠાવાઇ રહ્યા છે. અને, કોરોનાની બીજી લહેરમાં લોકોને વેક્સિન આપવા માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યાં છે. જેથી જલ્દીમાં જલ્દી આ મહામારી સામે રાજયના લોકો બહાર આવી જાય. ત્યારે દરેક નાગરિકોએ કોરોનાના આ જંગમાં સહકાર આપવો જરૂરી બન્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">