
આજે 4 જુલાઈ મંગળવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે મંગળવારે, લેન્ડિંગ કરતી વખતે સ્પાઈસ જેટની ફ્લાઈટ ટાયર ફાટવા છતાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું અને મોટી દુર્ઘટનાથી બચી ગઈ હતી. દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું લેન્ડિંગ સમયે ટાયર ફાટ્યું હતું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે ઉતર્યા હતા.
છત્રાલ પાસે કાર ચાલકે મુખ્ય પ્રધાનના કાફલા સાથે પોતાની નબર પ્લેટ વગરની કાર હંકારી હોવાનો બનાવ બન્યો છે. પોલીસે આપેલી સૂચનાને નજર અંદાજ કરીને યુવાને તેની કાર મુખ્યપ્રધાનના કાફલામાં ઘૂસાડી હતી. પોલીસે કાર રોકાવી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી. જો કે ઘટના બાદ કાર ચાલકનો જામીન ઉપર મુક્ત કરાયો હતો.
ગુજરાતમા આજે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં કુલ 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના તાલાલામાં આજે દિવસ દરમિયાન કુલ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. તો રાજકોટના જામકંડોરણામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેંદરડામાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હરિયાણા સરકાર ટૂંક સમયમાં રાજ્યના કુંવારાઓને પેન્શન આપવાની યોજના બનાવવા જઈ રહી છે. આ યોજના હેઠળ, 45 થી 60 વર્ષની વય જૂથના અપરિણીત પુરુષો અને સ્ત્રીઓને દર મહિને પેન્શન મળશે. આવા લાભાર્થીઓને પ્રારંભિક પેન્શન તરીકે દર મહિને રૂ. 2750 પેન્શન આપવાની યોજના છે.
મહેસાણા નાગલપુર હાઈવે પાસે પુનિત નગરમાં દિવાલ પડતા એક વ્યક્તિનુ મોત થયુ છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પુનિત નગરમાં હોન્ડા કાર શો રૂમના પાછળની દિવાલ પડતાં એક વૃદ્ધાનું મોત થવા પામ્યું છે. દિવાલ જર્જરિત હાલતમાં હોવાથી ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે.
કોરોનાકાળ દરમિયાનની ટેકનિકલ અને નોન ટેકનિકલ કોલેજો-ખાનગી યુનિવર્સિટીની ફી ઘટાડાની દરખાસ્ત સરકારે બનાવેલ કમિટીએ ફગાવી દીધી છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓમાં કોરોના મહામારી દરમિયાન ફી ઘટાડાની દરખાસ્ત અંગે રાજ્ય સરકારે બનાવેલી બે કમિટીએ નિર્ણય લીધો છે. કોલેજો કે ખાનગી યુનિવર્સિટીઓને સંપૂર્ણ કે આંશિક ફી માફીની દરખાસ્ત ફગાવી દેવાઈ છે. 10% સુધીની ફી માફી અંગેની દરખાસ્ત પર વિચારણા કરી શકાય પરંતુ આંશિક ફી માફી (25%) કે સંપૂર્ણ ફી માફીની દરખાસ્ત સ્વીકારી શકાય નહીં. 25% ફી માફીની દરખાસ્ત ફગાવાતા કમિટીના નિર્ણયને શિક્ષણ વિભાગને મોકલી અપાયો છે.
સત્તાવાર રીતે ફિલ્મના રિલીઝ પહેલા વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ 72 હુરેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ આજે જેએનયુમાં કરાયું છે. જો કે આ ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થશે, પરંતુ વિવેકાનંદ વિચાર મંચ દ્વારા મંગળવારે સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ ધ કેરળ સ્ટોરીનું પણ સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું હતું, જો કે આ સ્ક્રીનિંગને લઈને પણ વિવાદ શરૂ થયો છે. પહેલો વિરોધ JNSU પ્રમુખ આઈશી ઘોષ તરફથી આવ્યો હતો. તેમણે કહ્યું કે તે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે યુનિવર્સિટીના ભંડોળનો ઉપયોગ RSS સમર્થિત કાર્યક્રમોનું આયોજન કરવા માટે કરવામાં આવે છે.
Delhi: યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) લાગુ કરવાની કવાયત વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સીએમ ધામીએ કહ્યું કે, અમને UCC સંબંધિત કોઈ ડ્રાફ્ટ મળ્યો નથી અને અમે આ મામલે ઉતાવળ કરવા માંગતા નથી. પુષ્કર સિંહ ધામીએ આજે વડાપ્રધાન મોદીને મળ્યા બાદ કહ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાત જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અને કાવડ યાત્રા અંગે હતી.
Pushkar Singh Dhami -PM Narendra Modi
ચોમાસાની ઋતુમાં પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં દિવતણ ગામની સીમમાં આંજણીયા નદી પરથી પડતા દેવઘાટના ધોધનો અદ્ભુત નજરો સામે આવ્યો છે. ચોમાસામાં પ્રકૃત્તિ અહીં સોળે કળાએ ખીલી ઉઠે છે. આસપાસના જંગલ વિસ્તારમાં જાણે સાક્ષાત મા પ્રકૃત્તિનો વાસ થયો હોય એવા નયનરમ્ય કુદરતી દ્રશ્યો માણવા મળે છે.
Surat: પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં કેટલાક વચેટિયા ચાર્જ વસૂલતા હોવાનું સામે આવ્યું હતું. આ વચેટિયાઓ રંગે હાથ ઝડપાયા. આ સમગ્ર ઘાટાને લઈ કડક તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો સામે આવે તેમ છે. લોકોની માગ છે કે સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ આ બાબતે ગંભીરતાથી તપાસ કરવામાં આવે.
બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે SP સામે કરેલી ફરિયાદ બાદ રાજકારણ ગરમાયુ છે. જિલ્લા ભાજપ પ્રમુખે SP સામે થયેલી ફરિયાદ બાદ SPની કામગીરીને બિરદાવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ગેનીબેન સહિત કોંગ્રેસ સામે સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યુ કે રાહુલ ગાંધીની કોંગ્રેસ દારૂના બુટલેગરોને બચાવી રહી છે. કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય બુટલેગરને બચાવવા પોલીસ અને રાજ્ય સરાકર પર દબાણ લાવી રહી છે. એક તરફ સરકાર ડ્રગ્સ અને દારૂ સામે કડક હાથે કામ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ બુટલેગરોને છાવરતી હોવાનો પણ જિલ્લા ભાજપે ગંભીર આક્ષેપ કર્યો છે.
BJP Mission 2024: આગામી સમયમાં ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સાથે 2024 માં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પણ યોજાશે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી રણનીતિના ભાગરૂપે ઘણા રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોને બદલવામાં આવ્યા છે. બીજેપીએ તેલંગાણા, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને પંજાબમાં પ્રદેશ પ્રમુખો બદલ્યા છે.
Gandhinagar : ભાજપના (BJP) કેન્દ્રીય સંગઠનના માળખામાં ફેરફારને લઇને ચર્ચાઓએ જોર પકડ્યુ છે. 8 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન કેન્દ્ર સરકારમાં વિસ્તરણ થઈ શકે છે. ત્યારે ગુજરાતને લઇને પણ ચર્ચાઓ થઇ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના (CR Patil) નામને લઈ દિલ્હીમાં ચર્ચાઓએ જોર પકડ્યુ છે. સી આર પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં (Cabinet) સ્થાન મળી શકે છે. તો બીજી તરફ જો સી આર પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તો દર્શના જરદોષને કેબિનેટમાંથી ડ્રોપ કરવામાં આવી શકે છે. સાથે જ 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક થઈ શકે છે.
અમેરિકન મીડિયામાંથી મોટી માહિતી સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે શંકાસ્પદ પાવડર મળ્યા બાદ વ્હાઇટ હાઉસને ખાલી કરાવવામાં આવ્યું હતું. મામલાની ગંભીરતા જોઈને ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી હતી, જ્યારે માર્ગો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા.
US: અમેરિકા આજે તેની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમેરિકન એરપોર્ટ પર ભારે અફરાતફરી જોવા મળી હતી. હવામાનની વિવિધ ચેતવણીઓને કારણે લગભગ 100 મિલિયન લોકો પ્રભાવિત થવાના છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી રહી છે. ગઈકાલે સોમવારે એક જ દિવસે અમેરિકાના એરપોર્ટ લોકોથી ભરાઈ ગયા હતા અને હજારો ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી અથવા તેમના પહોચવાના સ્થાને મોડી પહોંચી હતી.
Vande Bharat Express: અમદાવાદને વધુ એક વંદે ભારત હાઈ સ્પિડ રેલવેનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ 7, જુલાઈએ કરશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.
ભાજપે ઘણા રાજ્યોમાં પોતાના અધ્યક્ષ બદલ્યા છે. આંધ્રપ્રદેશમાં પી પુરંદેશ્વરી, ઝારખંડમાં બાબુલાલ મરાંડી, પંજાબમાં સુનિલ જાખડ, તેલંગાણામાં જી કિશન રેડ્ડીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢમાં 86 MM વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 77 MM વરસાદ પડ્યો છે. જામનગરમાં 47 MM વરસાદ વરસ્યો છે.
દ્વારકાધીશ મંદિરના શિખર પર અલગ અલગ 6 ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવાઈ શકી ન હતી. જેના કારણે હવે દરરોજ 15 દિવસ સુધી 5ને બદલે 6 ધ્વજા ચઢાવવામાં આવશે.
મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયાની તબિયત ફરી લથડી છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમને ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી ગંભીર બીમારી છે.
અમદાવાદના મકરબા વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીથી બનાવેલો રબરનો વૉક-વે વરસાદમાં ઠેર-ઠેર તૂટ્યો છે. અહીં એક જ વર્ષમાં વારંવાર થીગડા મારવા પડયા છે. આ વૉક-વે તૂટતા જ સવાર-સાંજ વોકિંગ કરવા આવતા વૃદ્ધોને પારાવાર હાલાકી પડી રહી છે.
અમિત શાહની (Amit Shah) વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) હાજરીમાં મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ છે. સહકારી સંસ્થા દ્વારા સંચાલિત ભારતની આ પહેલી સૈનિક સ્કૂલ હશે.
SCO સમિટમાં બોલતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે, આપણે તમામ પ્રકારના આતંકવાદનો સામનો કરવો પડશે. ધાર્મિક લઘુમતીઓ પર કોઈપણ પ્રકારના હુમલાને સાંખી લેવામાં આવશે નહીં.
રાજસ્થાન સરકારે પેપર લીકને લઈને મોટો નિર્ણય લીધો છે. પેપર લીકના કાયદામાં હવે મહત્તમ સજા આજીવન કેદની થશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, આગામી વિધાનસભા સત્રમાં કાયદો લાવવામાં આવશે. નવો કાયદો RPSC, RSSB, DPO પર લાગુ થશે.
राज्य में प्रतियोगी परीक्षाओं में और पारदर्शिता लाने के उद्देश्य से मुख्य सचिव को निर्देशित किया है कि RPSC, DOP, RSSB एवं अन्य हितधारकों के साथ चर्चा कर बेहतर प्रक्रिया तैयार करें। पेपर लीक के खिलाफ बनाए गए कानून में भी अधिकतम सजा का प्रावधान उम्रकैद करने के लिए आगामी विधानसभा…
— Ashok Gehlot (@ashokgehlot51) July 4, 2023
કેન્દ્ર સરકારે HAM પાર્ટીના અધ્યક્ષ સંતોષ માંઝીને Y પ્લસ સુરક્ષા આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર, CRPF સમગ્ર ભારતમાં Y+ સુરક્ષા પ્રદાન કરશે.
બપોરે 12 વાગ્યાની આસપાસ એક કન્ટેનર મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન તેની બ્રેક ફેલ થઈ હતી અને કન્ટેનર હાઈવે પર આવેલી હોટલમાં ઘુસી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ 12 લોકોના મોત થયા હતા.
ઠાણે’ વિશ્વભરમાં 1000 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. હવે તેના ચાહકોની નજર તેના આગામી પ્રોજેક્ટ્સ પર છે. આ દરમિયાન શાહરૂખ (Shah Rukh Khan) અકસ્માતનો શિકાર બન્યો છે. શાહરૂખ ખાન હાલમાં જ લોસ એન્જલસમાં શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન શાહરૂખ સાથે અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શાહરૂખ ખાન પર એક નાની સર્જરી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કિંગ ખાનને તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન તેના નાક પર ઈજા થઈ હતી.
SCOની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમામ દેશોએ અન્ય દેશોની સાર્વભૌમત્વ અને સરહદોનું સન્માન કરવું જોઈએ.
અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાને લઇને શરુ થયેલી હાલાકીને લઇને મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની (Municipal Road and Building Committee) બેઠક મળી હતી. જેમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચેરમેન દ્વારા જે પણ રોડ પર ખાડા પડ્યા છે તે તાત્કાલિક ધોરણે પૂરી દેવા સૂચના આપી છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે ઉદ્ધવ ઠાકરે માતોશ્રી ખાતે સભા કરી રહ્યા છે. આ બેઠકમાં પાર્ટીના અનેક નેતાઓ ભાગ લેવા પહોંચ્યા છે.
Dahod: પાંચ મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન દાહોદના સોપાઈ નજીક કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન કારમાં સવારમાં બે મિત્રો મોતને ભેટ્યા હતા.
હિરણ-2 ડેમ 86 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ડેમનું નિર્ધારીત રૂલ લેવલ જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી જુલાઈએ વારાણસી જશે. તેઓ ત્યાં શિલાન્યાસ કરશે અને ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. PM મોદી 7 અને 8 જુલાઈ એમ 2 દિવસમાં 4 રાજ્યોની મુલાકાત લેશે. 7મીએ તેઓ છત્તીસગઢ અને યુપીમાં રહેશે, જ્યારે બીજા દિવસે તેઓ તેલંગાણા અને રાજસ્થાનમાં રહેશે.
Balasore Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ તેની તપાસની જવાબદારી ‘કમિશ્નર ઑફ રેલવે સેફ્ટી’ (CRS)ને સોંપવામાં આવી હતી. CRSની તપાસમાં જાણવા મળ્યું છે કે રેલ દુર્ઘટનાનું કારણ અનેક સ્તરે ક્ષતિઓ છે. સીઆરએસ તપાસ અહેવાલ દર્શાવે છે કે લેવલ-ક્રોસિંગ લોકેશન બૉક્સની અંદર વાયરનું ખોટું લેબલિંગ વર્ષોથી શોધી શકાતું નથી. મેન્ટેનન્સ વખતે પણ તેમાં ક્ષતિ હતી. જો આ ખામીઓને અવગણવામાં ન આવી હોત તો અકસ્માત ટાળી શકાયો હોત.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. ગઈ કાલે તેઓ ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.
અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી EDની મુંબઈ ઓફિસ પહોંચી ગઈ છે. ફેમા મામલે તેમની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા સોમવારે EDએ FEMA હેઠળ અનિલ અંબાણીની પણ પૂછપરછ કરી હતી. આ 814 કરોડની હેરાફેરીનો મામલો છે.
Banaskantha : બનાસકાંઠાના ડીસામાં લાટી બજાર વિસ્તારમાં ભીષણ આગ (Fire) લાગી છે. અગરબત્તીની ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ છે. આગ લાગવાની ઘટનાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગે ભયંકર રૂપ ધારણ કરતા ફાયર ફાયટરની (Fire fighter) ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે.
Jamnagar : વરસાદના કારણે ગુજરાતના નદી-નાળામાં નવા નીરના આવક થઇ રહી છે. તો ડેમો પણ પાણીની આવકથી છલકાઇ રહ્યા છે. ત્યારે જામનગર શહેરની જીવાદોરી ગણાતો અને પાણી પૂરૂં પાડતો રણજીત સાગર ડેમ (Ranjit Sagar Dam) ઓવરફ્લો થઇ ગયો છે. ધોધમાર વરસાદ (Rain) બાદ ડેમમાં છલોછલ પાણી ભરાઇ ગયું છે. ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. રણજીત સાગર ડેમની જળ સપાટી 28 ફુટની છે. વરસાદના કારણે પાણીએ ડેમની સપાટી વટાવી દીધી છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જો કે હજુ તો વરસાદની સીઝન બાકી છે. ચોમાસાના પ્રારંભે જ રણજીત સાગર ડેમ સંપૂર્ણ રીતે ભરાઇ જતા ઓવરફ્લો થઇ ગયો છે. જેથી શહેરીજનો માટે પીવાના પાણીની ચિંતા રહી નથી.
મુંબઈ હાલમાં તે દેશની અર્થવ્યવસ્થા(Economy)નું મહત્વનું સૂચક બની ગયું છે. આ સાથે રાજકીય શક્તિની ગતિવિધિ સાથે તેના ધબકારા પણ ઉપર અને નીચે જાય છે. ભારતનું શેરબજાર (Share Market) પાવર માટે પણ મહત્વનું છે કારણ કે તે વિદેશી રોકાણકારો માટે હોટ સ્પોટ બની ગયું છે. વર્ષ 2023માં વિદેશી રોકાણકારોએ દેશના બજારમાં 75 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. જો જૂનની વાત કરીએ તો આ આંકડો લગભગ 48 હજાર કરોડ રૂપિયા છે. આ વિદેશી રોકાણકારોને મદદ કરવા અને બજારની નસ હાથમાં રાખવા માટે મુંબઈને હાથમાં રાખવું ખૂબ જ જરૂરી છે.
Navsari : નવસારીના વિજલપોરમાં એક યુવાનની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. વિજલપોરના ક્રિષ્નાનગર ખાતે એક યુવાન પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Amreli : ગુજરાતમાં ચોમાસાએ (Monsoon 2023 )જમાવટ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ચોમાસાના આગમન પછી સારો એવો વરસાદ (Rain) ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અમરેલીના ચલાલાના લાખાપાદર ગામનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ગીર વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદથી ચેકડેમ ઓવરફલો થયો છે. ધારીના જીરા, ગઢીયાપાતળા, રામપુર, નાગધ્રામાં વરસાદ ખાબક્યો છે. જેના પગલે પાણીની સારી આવકથી એક જ દિવસમાં લાખાપાદર ડેમ છલકાયો છે. અમરેલી જિલ્લાના અન્ય ડેમોમાં પણ પાણીની સારી આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Banaskantha : બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદને પગલે મોટાભાગના રસ્તા ખાડા ખૈયાવાળા બની ગયા છે. પાલનપુરનો હાઈ-વે હોય કે શહેરના માર્ગો. વાહન ચાલકોના હાડકા પહેલા જ વરસાદમાં ખોખરા થવા લાગ્યા છે. અમદાવાદ-આબૂરોડને જોડતા હાઈ-વે પર ખેમાણા ટોલ પ્લાઝા પર વાહન ચાલકો ટોલ ચુકવે છે.
LPG Cylinder Price: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો(Commercial LPG Cylinder) કર્યો છે. સામાન્ય રીતે 1લીએ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થાય છે. આ વખતે 1 જુલાઈના રોજ ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. તેના પછી ચોથા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરીને મોટો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 19 કિલોનું છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હી, મુંબઈ, કોલકાતા ચેન્નાઈ અને અમદાવાદમાં આ એલપીજી ગેસના ભાવ યથાવત છે. ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1103 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા, મુંબઈમાં 1102.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા પર ઉપલબ્ધ થઇ રહ્યા છે.
Surat : રાજ્યમાં અવારનવાર નશીલા પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. રાજ્યમાં ફરી એકવાર આ પ્રકારનો જથ્થો સુરતના પશ્ચિમ રેલવેની ટ્રેનમાંથી ઝડપાયો છે. પુરી થી ગાંધીધામ જતી વિકલી સુપરફાસ્ટ પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ માંથી બરોડા રેન્જના SOGને સુરત રેલ્વે સ્ટેશન પર માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. આશરે 40 કિલોથી વધુ બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં ફાયરિંગની ઘટના બની છે. 8 લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. 8માંથી 4ના મોત પણ થયા હોવાની માહિતી મળી છે.
અમેરિકન શહેર સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાની ઘટના સામે આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના રવિવારે સવારે 1.30 થી 2.30 દરમિયાન બની હતી.કથિત રીતે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ દૂતાવાસ પર હુમલો કર્યો અને તેને આગ લગાડી દીધી. છેલ્લા પાંચ મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે ભારતીય દૂતાવાસને ખાલિસ્તાની સમર્થકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે.
ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCO સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુરેશિયન-મધ્ય એશિયાના દેશોના નેતાઓ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે. પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. ઈરાન પણ નવા સભ્ય તરીકે કોન્ફરન્સમાં ભાગ લેશે. આ પ્રથમ વખત છે જ્યારે ભારત SCO સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે.
હેલિકોપ્ટર સર્વિસ પ્રોવાઈડર પવન હંસના ડિસઈન્વેસ્ટમેન્ટને મોટો આંચકો લાગ્યો છે. સરકારે તેને વેચવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. મામલો એવો છે કે પવન હંસમાં સરકારનો હિસ્સો ખરીદનાર કન્સોર્ટિયમની કંપની પર NCLT કેસ પેન્ડિંગ છે. જ્યારે સરકારને આ બાબતની જાણ થઈ ત્યારે તેણે આ નિર્ણય લેવો પડ્યો છે. સરકાર પવન હંસને રૂપિયા 211.40 કરોડમાં વેચવાની યોજના બનાવી રહી હતી. પવન હંસમાં સરકાર 51 ટકા અને ONGC 49 ટકા હિસ્સો ધરાવે છે. સરકાર તેનો 100 ટકા હિસ્સો વેચવા જઈ રહી હતી. સરકારે અત્યાર સુધીમાં તેને વેચવાનો 4 વખત નિષ્ફળ પ્રયાસ કર્યો છે.
મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલો તણાવ ઝડપથી ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં શાંતિની પુનઃસ્થાપના વચ્ચે, સીએમ એન બિરેન સિંહે કહ્યું છે કે મે મહિનાથી ચાલી રહેલી હિંસા બાદ બંધ કરવામાં આવેલી પ્રથમથી આઠમા ધોરણ સુધીની શાળાઓ 5 જુલાઈથી ફરીથી ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે પહાડી અને ખીણમાં લાગેલા બંકરો હટાવવામાં આવશે.
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે. ભૂસ્ખલનને કારણે હાઈવેની એક લેન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. કૃપા કરીને જણાવો કે ભૂસ્ખલન ચંદ્રકોટના કુનફર વિસ્તારમાં થયું છે. 270 કિલોમીટર લાંબો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર સર્વ-હવામાન માર્ગ છે.
Surat: શહેર પોલીસ દ્વારા એક નવો ચીલો ચીતરવામાં આવ્યો છે. તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરી, લૂંટ કે, સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓમાં આરોપીઓને પકડ્યા બાદ તેમની પાસેથી રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવીને પોલીસ જાતે જે ફરિયાદીનો મુદામાલ છે તેનો સંપર્ક કરી તેમનો મુદ્દામાલ પરત કરે છે.
Published On - 6:40 am, Tue, 4 July 23