AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ સમાચાર : પથ્થરમારો થયો તે સમયે વંદે ભારત ટ્રેનમાં હાજર હતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જુઓ વીડિયો

રાજકોટમાં જે વંદે ભારત ટ્રેનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુસાફરી કરી હતી. તેના પર પથ્થર મારો થયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે પથ્થરમારો થયો છે.મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયો છે.

રાજકોટ સમાચાર : પથ્થરમારો થયો તે સમયે વંદે ભારત ટ્રેનમાં હાજર હતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,  જુઓ વીડિયો
stones pelted
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 08, 2023 | 12:19 PM
Share

રાજકોટમાં જે વંદે ભારત ટ્રેનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુસાફરી કરી હતી. તેના પર પથ્થર મારો થયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે પથ્થરમારો થયો છે.મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયો છે.

જાહેર પરિવહનના સાધનોમાં લોકોને કોઈ તકલીફ છે કે નહીં તે જાણવા ખુદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્રેન અને એસટી બસમાં મુસાફરી કરી હતી. ટ્રેન અને એસટી બસમાં મુસાફરી કરી લોકો પાસેથી સમસ્યાઓ જાણી હતી. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં આવ્યાં હતા અને રાજકોટથી અમદાવાદ એસટી બસમાં મુસાફરી કરી આવ્યાં હતા.

હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી અને ત્યારબાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાજકોટથી એસટી બસમાં અમદાવાદ જવા માટે રાત્રે 11.45 વાગ્યે રવાના થયા હતા. આ સમયે હર્ષ સંઘવી બસપોર્ટ ખાતે મુસાફરોને મળ્યા હતા અને પ્લેટફોર્મ, કેન્ટીન, વેઇટિંગ રૂમ ઉપરાંત શૌચાલયની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને મુસાફરલક્ષી તમામ બાબતોની માહિતી મેળવી સમીક્ષા કરી હતી.

વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનરએ આપ્યુ નિવેદન

રાજકોટ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાનો મુદ્દે વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનરનું નિવેદન આપ્યુ છે. તો વંદે ભારત ટ્રેનના C-4, C-5 કોચ પર પથ્થરમારો થયો હતો. તેમના જણાવ્યા અનુસાર રાત્રે 9 કલાકે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાજકોટના બિલેશ્વર સ્ટેશનથી 4 કિમી પહેલા જ પથ્થરમારો થયો હતો.જો કે પથ્થરમારાની ઘટનામાં કોઇને ઇજા કે નુકસાન થયુ નથી. આ અગાઉ થયેલા પથ્થરમારાની ઘટના બની ચૂકી છે. જેમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ અગાઉ બનેલી પથ્થરમારાની ઘટના

વંદે ભારત ટ્રેન પર આ પહેલી વાર પથ્થરમારાની ઘટના નથી બની. આ અગાઉ ઉદયપુરથી ચાલતી ટ્રેનો પર પણ પથ્થરમારાની થયો હતો. રાજસ્થાનના જયપુર-ઉદયપુર વંદે ભારતને પાટા પરથી ઉતારવા માટે ટ્રેક પર લોખંડના સળિયા અને પથ્થરો નાખ્યા હોવાનું સામે આવ્યુ હતુ.જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ રેલવે પોલીસ આરપીએફ અને સિવિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસ હાલમાં આ કેસને નશાખોરોનું કૃત્ય ગણાવ્યુ છે.પરંતુ આ ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાનો પણ હોઈ શકે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પરિચિતો સાથે અંગત બાબતો શેર કરવાનું ટાળો, વડીલ તમને મદદ કરી શકે છે
પરિચિતો સાથે અંગત બાબતો શેર કરવાનું ટાળો, વડીલ તમને મદદ કરી શકે છે
બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ
બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ
ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર
ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
g clip-path="url(#clip0_868_265)">