રાજયમાં કોરોનાનો કેર યથાવત, ર4 કલાકમાં કુલ 1125 પોઝિટિવ કેસ, 7 દર્દીના મોત
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1125 પોઝિટિવ કેસ નોંધાયા. તો 7 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 90 હજાર 361ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,815 પર પહોંચ્યો છે. જ્યારે 1,116 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ […]
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1125 પોઝિટિવ કેસ નોંધાયા. તો 7 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 90 હજાર 361ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,815 પર પહોંચ્યો છે. જ્યારે 1,116 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 74 હજાર દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો. તો હજુ પણ 74 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં નવા 234 પોઝિટિવ કેસ સાથે 4 દર્દીઓએ જીવ ગુમાવ્યો. જ્યારે સુરતમાં 3 દર્દીના મોત સાથે 180 પોઝિટિવ કેસ નોંધાયા. તો રાજકોટમાં નવા 92 પોઝિટિવ કેસ અને વડોદરામાં 133 પોઝિટિવ કેસ નોંધાયા.
તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે. અમદાવાદ શહેર જિલ્લામાં પાછલા 24 કલાકમાં વધુ 234 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં 218 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 203 દર્દીઓ સાજા થયા. તો અમદાવાદ જિલ્લામાં 16 દર્દીઓ સંક્રમિત થવાની સાથે 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો