Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે 33 ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી
Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે 33 ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં કલોલથી બળદેવસિંહ ઠાકોર, થરાદથી ગુલાબસિંહ રાજપૂત, જમાલપુરથી ઇમરાન ખેડાવાળા, દરિયાપુરથી ગ્યાસુદીન શેખને ટિકિટ આપવામાં આવી છે.
Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે 33 ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં કલોલથી બળદેવસિંહ ઠાકોર, થરાદથી ગુલાબસિંહ રાજપૂત, જમાલપુરથી ઇમરાન ખેડાવાળા, દરિયાપુરથી ગ્યાસુદીન શેખને ટિકિટ આપવામાં આવી છે.
- વાવ – ગેનીબેન ઠાકોર
- થરાદ – ગુલાબસિંહ રાજપૂત
- ધાનેરા – નાથાભાઈપટેલ
- દાંતા -(એસ.ટી) કાંતિભાઈ ખરાડી
- વડગામ- (એસ. સી) જીગ્નેશ મેવાણી
- રાધનપુર- રધુ દેસાઇ
- દાણિલીમડા- શૈલેષ પરમાર
- બાપુનગર- હિંમતસિંહ પટેલ
- જમાલપુર- ઇમરાન ખેડાવાલા
- સાબરમતી દિનેશ મહિડા
- આંકલાવ- અમિત ચાવડા
- વિજાપુર- સી. જે. ચાવડા
- ડૉ. તુષાર ચૌધરી- ખેડબ્રહ્મા
- ડૉ. કિરિટ પટેલ- પાટણ
- દરિયાપુર- ગ્યાસુદ્દીન શેખ
- પાવી જેતપુર- સુખરામ રાઠવાને
- ચાણસ્મા – દિનેશ ઠાકોર
- સંગ્રામસિંહ રાઠવા- છોટા ઉદેપુરથી
- બોટાદ -મનહર પટેલ
- ગારીયાધાર- દિવ્યેશ ચાવડા
- જામનગર ગ્રામ્ય- જીવન કુંભારવાડિયા
- રાજકોટ પશ્ચિમ- મનસુખ કાલરિયાને
- મોરબી- જયંતિ પટેલ
- ધ્રાંગધ્રા- છત્રસિંહ ગુંજારિયા
- મોડાસા – રાજેન્દ્રસિંહ ઠાકોર
- વેજલપુર – રાજેન્દ્ર પટેલ
- વટવા – બળવંત ગઢવી
- નિકોલ – રણજીત બારડ
- ઠક્કરબાપાનગર – વિજય બ્રહ્મભટ્ટ
- આણંદ – કાંતિસોઢા પરમાર
- બોરસદ – રાજેન્દ્ર પરમાર
- વાઘોડીયા – સત્યજીત ગાયકવાડ
- ડભોઇ – બાલ કિશન પટેલ
કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર
ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટે પણ કોંગ્રેસે અનેક વચનો આપ્યા છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું વચન આપ્યું છે
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: નિરીક્ષકો અને સહપ્રભારીઓ સામે પણ ઉઠી ફરિયાદ
આ સમગ્ર વિવાદ મુદ્દે શુક્રવારે રાત્રે જ એક બેઠક મળી હતી. એ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અનેક જગ્યાએથી કોંગ્રેસમાં નિરીક્ષકો સામે અને સહપ્રભારીઓ સામે પણ ફરિયાદો ઉઠી છે. ટિકિટ વહેંચણીને લઈને પણ વિવાદ સામે આવ્યા છે. આ વિવાદને ખાળવા હાઈકમાન્ડે દિલ્હીથી ટીમ મોકલી છે. જેમાં અશોક ગેહલોત સહિતના નેતાઓને જવાબદારી સોંપાઈ છે. તેઓ ગુજરાતમાં રહીને આગામી સમયમાં જે લોકો અસંતુષ્ટ છે તેમને સમજાવવા આવે અને ડેમેજ કંટ્રોલનું કામ કરે આ માટેની જવાબદારી સોંપાઈ છે.