AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSEB 12th science Results 2023 live : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર, જાણો ક્યાં જિલ્લાનું કેટલુ પરિણામ આવ્યુ

GSEB 12th science Results 2023 live updates : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટનું પરિણામ જાહેર કરાયુ છે. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે આવ્યુ છે. જ્યારે ભાવનગર જિલ્લો 82.51 ટકા પરિણામ જાહેર થયુ છે.

GSEB 12th science Results 2023 live : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર, જાણો ક્યાં જિલ્લાનું કેટલુ પરિણામ આવ્યુ
GSEB class 12th science Results 2023 live updatesImage Credit source: file image
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 11:58 AM
Share

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે આવ્યુ છે. જ્યારે ભાવનગર જિલ્લો 82.51 ટકા પરિણામ જાહેર થયુ છે. રાજકોટ જિલ્લાનુ 82.51 ટકા પરિણામ જાહેર થયુ છે. જામનગર જિલ્લાનું 77.57 ટકા પરિણામ આવ્યુ છે.

આ પણ વાંચો : Breaking News :ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર

તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ 79.21 ટકા આવ્યુ છે. બોટાદ જિલ્લામાં 74.49 ટકા પરિણામ જાહેર થયુ છે. કચ્છ જિલ્લાનું 70.88 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જૂનાગઢ જિલ્લાનું પરિણામ 70.84 ટકા જાહેર થયુ છે. સુરત જિલ્લાના 71.15 ટકા જાહેર થયુ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો 71.05 ટકા પરિણામ જાહેર થયુ છે.

સાત જિલ્લાનું પરિણામ આવ્યુ સૌથી ઓછુ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં દાહોદ જિલ્લાનું પરિણામ 29.44 ટકા આવ્યુ છે. જ્યારે નર્મદા જિલ્લાનુ પરિણામ 36.99 ટકા પરિણામ જાહેર થયુ છે. આ સાથે જ તાપી જિલ્લામાં 43.22 ટકા પરિણામ આવ્યુ છે. તો બીજી તરફ મહિસાગર જિલ્લાનું પરિણામ 45.39 ટકા પરિણામ જાહેર થયુ છે. તેમજ વલસાડ જિલ્લાનું 46.92 ટકા પરિણામ જાહેર થયુ છે. તો અરવલ્લી જિલ્લાનું 56.81 ટકા પરિણામ આવ્યુ છે.

કેટલા વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો

આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ આવ્યો છે. જ્યારે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 6188 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 11984 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 24185 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 19135 વિદ્યાર્થીઓએ C1 મેળવ્યો છે. જ્યારે 8975 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે.

કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા

આ વર્ષે કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યુ છે. જ્યારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયુ છે. જ્યારે A ગ્રૂપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યુ છે. B ગ્રૂપના ઉમેદવારોનું 61.71 ટકા પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત AB ગ્રૂપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">