AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gram Panchayat Election : ઘોઘા તાલુકાનું અવાણીયા ગામ સમરસ બન્યું, ભોજપરા ગામમાં યોજાશે ચૂંટણી

ભાવનગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાવનગરના અનેક ગામડાઓમાં સમસ્યાઓ પણ છે અને સુવિધાઓ પણ છે. ત્યારે ભાવનગરના ભોજપરા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ભોજપરા ગામમાં આજ સુધી પાંચ વાર સમરસ થયેલું છે.

Gram Panchayat Election : ઘોઘા તાલુકાનું અવાણીયા ગામ સમરસ બન્યું, ભોજપરા ગામમાં યોજાશે ચૂંટણી
Gram Panchayat Election:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 12:03 PM
Share

Gram Panchayat Election : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું અવાણીયા ગામ એક એવું ગામ છે કે જે ગામમાં ભારત આઝાદ થયા બાદ આજ સુધી માત્ર એક જ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી થવા પામેલ છે. બાકી તમામ ચૂંટણીઓ આજ સુધી સમરસ થવા પામેલ છે. હાલમાં ગ્રામ પંચાયતની ચુંટણી પણ સમરસ થયેલ છે. અવાણિયા ગામના લોકોની સમજણ અને સમરસ ગામ થવાને લઇને ગામમાં અનેક વિકાસના કામો થવા પામેલ છે.

ગામમાં બ્લોકના રોડ રસ્તા, નંદ ઘર, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ, ચૂબુતરો સહિત અનેક સુવિધાઓ ઉભી થવા પામેલ છે. જયારે હાલમાં ગામમાં પાણીની બહુ મોટી સમસ્યા છે. અને ડ્રેનેજ બહુ ઉભરાય છે અને કેનાલનો પણ પ્રશ્ન છે અને એના માટે રજૂઆત પણ કરવામાં આવેલ છે. ત્યારે હાલમાં અવાણિયા ગામને સમરસ કરી હજુ ગામમાં સારા લોકહીત કામો માટે અવાણિયા ગામને ફરી સમરસ કરેલ છે. જેમાં વડીલોની ભૂમિકા ખુબજ મહત્વની છે.

ભોજપરા ગામમાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી, પાંચવાર ગામ સમરસ થયું છે

ભાવનગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાવનગરના અનેક ગામડાઓમાં સમસ્યાઓ પણ છે અને સુવિધાઓ પણ છે. ત્યારે ભાવનગરના ભોજપરા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ભોજપરા ગામમાં આજ સુધી પાંચ વાર સમરસ થયેલું છે. આ ચૂંટણીમાં ગામમાંથી ચાર યુવાનોએ સરપંચ બનવા માટે ચૂંટણીમાં દાવેદારી કરેલ છે. ગામના લોકો આ ચૂંટણીમાં યુવાન સરપંચ ઇચ્છે છે. હાલ ગામમાં રોડ રસ્તાની સુવિધા છે. મંત્રી, શિક્ષકો અને હેલ્થ કર્મીઓ નિયમિત ગામમાં આવે છે. યુવાનો માટે સારું મેદાન નથી, ડ્રેનેજની પણ ખાસ સારી સગવડતા નથી, સ્વચ્છતા ને લઇને ભોજપરા ગામમાં બહુ મોટી સમસ્યા છે. ત્યારે ગામના લોકો દ્વારા ગામમાં બાકી રહેલા કામો પૂરા થાય અને ગામને વિકાસ તરફ લઈ જાય તેવા સરપંચને ચૂંટી કાઢવાનુ ગામના લોકો જણાવી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં યોજાનારી ૪૩૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ માટે ૫૨૯ ફોર્મ અને સભ્યો માટે ૨૨૫૯ ફોર્મ મળીને કુલ ૨૭૮૭ ફોર્મ ભરાયાં હતાં, વલ્લભીપુરમાં ૪ ગ્રામ પંચાયત સમરસ થઈ, મહુવામાં ૨૦૯ સરપંચ અને વોર્ડના ૧૨૦૦ સભ્યોએ ફોર્મ ભર્યા, જ્યારે હવે આ ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થતા આવતા દિવસોમાં ગામડાઓમાં ભારે ચૂંટણીનો માહોલ જામશે.

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">