ગોધરા બનાવના દોઢ દાયકા પછી 52 મૃતકોના વારસદારોને 5 લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારનો નિર્ણય
ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની આગ લગાડવાની ઘટનામાં ભડથું થઈ જનારા 59 વ્યક્તિઓના પરિવારને હવે 17 વર્ષ બાદ ગુજરાત સરકારે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી,2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ લગાડી દેવાથી 59 લોકોના મૃત્યું થયા હતા. […]
ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની આગ લગાડવાની ઘટનામાં ભડથું થઈ જનારા 59 વ્યક્તિઓના પરિવારને હવે 17 વર્ષ બાદ ગુજરાત સરકારે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
27 ફેબ્રુઆરી,2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ લગાડી દેવાથી 59 લોકોના મૃત્યું થયા હતા. સરકારે હવે 17 વર્ષ પછી પ્રત્યેકના પરિવારને પાંચ લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. કોર્ટના ચુકાદા અનુસાર રાજ્ય સરકારને પાંચ લાખ અને રેલવે વિભાગને પાંચ લાખ ચૂકવવાના થાય છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે આ બાબતે ચૂકવણી કરવા માટે મંત્રીશ્રીના રાહતફંડમાંથી નાણા ચૂકવવા માટે લીગલ સર્વિસ ઓથોરીટીને 260 લાખ રુપિયા આપ્યા છે.
વધુમાં આ સહાય મેળવવા માટે જે તે મૃતકના પરિવારે ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરીટી, પ્રથમ માળ, ગુજરાત હાઈકોર્ટ, સોલા ખાતે સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ વધુ પુરાવા પણ ત્યાં રજૂ કરવાના રહેશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]