AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Monsoon 2022: આજથી પાંચ દિવસ માટે ગીર સોમનાથ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, વાવણી માટે યોગ્ય સમય

આજથી રાજ્યમાં ગીર સોમનાથ (Gir Somnath)સહિત અમરેલી અને અમદાવાદમાં આજથી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદને પગલે ખેડૂતો વાવણી કરી શકે છે

Gujarat Monsoon 2022: આજથી પાંચ દિવસ માટે ગીર સોમનાથ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, વાવણી માટે યોગ્ય સમય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 8:35 AM
Share

Gujarat Monsoon 2022: રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ અરબી સમુદ્રમાં તૈયાર થઈ છે જેને પરિણામે આગામી બે દિવસ સારો વરસાદ (Rain)થઈ શકે  છે. વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતના ખેડૂતો (Farmer)માટે સાારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં સારો વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલમાં અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. આ વરસાદને પગલે ખેડૂતો મગફળી  સહિતના પાકની વાવણી માટે શરૂઆત કરી શકે છે.

આજે થશે વરસાદ

today rain forecast

  1. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ  અને જામનગરમાં વરસાદ પડશે.
  2. ઉતર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને ડીસામાં પણ મેઘમહેર થશે.
  3. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શકયતા છે.
  4. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત અને તાપી તથા ડાંગમાં વરસાદ ખાબકી શકે છે.

માછીમારોને દરિયામાં ન જવા આપવામાં આવી છે સૂચના

રાજ્યમાં જામતા ચોમાસા વચ્ચે માછીમારોને 14થી 17 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15 જૂન સુધી રાજ્યમાં ખાસ કરીને મૂળ દ્વારકા, ભાવનગર વેરાવળ, દીવ, જાફરાબાદ, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધી અહીં 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છેમજ પવનની ગતિ 60 કિલોમીટર સુધીની થઈ શકે છે. ખાસ કરીને 16 જૂનના રોજ ભાવનગર , ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટરથી માંડીને 50 કિલોમીટર સુધીની રહેશે. જ્યારે 14 જૂનથી 17 જૂન સુધી 40થી માંડીને 60 કિમીની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાઈ શકે છે.

અમરેલીમાં કોઝ વે પર ફરી વળ્યું પાણી

ગત રોજ અમરેલીમાં અમરેલીના ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં તેમજ  ડાભાળી જીરા, દેવળા, નાગધ્રા, વિરપુર, માધુપુર, સરસીયા, લાખાપાદર સહિતના ગામોમાં વરસાદ આશરે  અઢી ઈંચ કરતાં વધુ વરસાદ થયો  હતો તેને  પરિણામે નદી-નાળા છલકાઈ ગયા હતા અને  ભારે વરસાદના પગલે નાગધ્રા ગામની સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ  હતી. પાણીની આવકને પગલે માધુપુર કોઝવે પર પાણી ફરી વળ્યું  હતું.

Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">