સોમનાથના શિલ્પી સરદારને અનોખી શ્રદ્ધાંજલિ, 1551 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની મહાયાત્રા નીકળી, જુઓ વિડીયો

સોમનાથમાં 1551 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજની શૌર્ય મહાયાત્રા કાઢવામાં આવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:15 PM

GIR SOMNATH : ભવ્ય સોમનાથ મંદિરના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar patel) ની 146 જન્મજ્યંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day)ની સોમનાથમાં ખાસ ઉજવણી કરવામાં આવી. સોમનાથમાં 1551 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજની શૌર્ય મહાયાત્રા કાઢવામાં આવી.સોમનાથના સમુદ્રકાંઠાના વોક-વે પર વિશાળ રાષ્ટ્રધ્વજ સાથેની મહાયાત્રામાં 400 બાળકો જોડાયા. આ સમગ્ર કાર્યક્રમનું ગાંધીનગરના રાધે ગ્રુપ અને સોમનાથ મંદિર ટ્રસ્ટના સહયોગથી આયોજન કરાયું હતું. જેમાં પોલીસ વિભાગના અધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટના પદાધિકારી અને મંદિરના પૂજારી પણ જોડાયા હતા.

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ પણ સ્વતંત્ર ભારતની મુખ્ય યોજનાઓમાંની એક હતી. વર્તમાન મંદિરનું આઝાદી પછી 1951માં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને 1લી ડિસેમ્બર 1995ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.જૂનાગઢ રજવાડાને ભારતનો હિસ્સો બનાવ્યા બાદ ભારતના તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલે જુલાઈ 1947માં સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો.

આજે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ આયોજિત કરવામાં આવી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, આજે સરદાર પટેલની જન્મજયંતિ છે. હું દેશભરના કરોડો દેશવાસીઓને કહેવા માંગુ છું, “સદીઓમાં કોઈ પણ સરદાર બની શકે છે, જે એક સરદાર સદીઓ સુધી અલખ જગાડતા રહે છે.”

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે ડેરી ઉદ્યોગના વિકાસ માટે 5 હજાર કરોડની ડેરી સહકાર યોજના લોન્‍ચ કરી

આ પણ વાંચો : #75YearsOfAmul : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, આપણા DNA માં જ સહકાર વણાયેલું છે

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">