ગૃહમંત્રી અમિત શાહે ડેરી ઉદ્યોગના વિકાસ માટે 5 હજાર કરોડની ડેરી સહકાર યોજના લોન્‍ચ કરી

અમિત શાહે દુધનગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં 1.72 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્‍ચીંગ કર્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે  ડેરી ઉદ્યોગના વિકાસ માટે 5  હજાર કરોડની ડેરી સહકાર યોજના લોન્‍ચ કરી
Home Minister Amit Shah launches Rs 5,000 crore dairy co-operation scheme for dairy industry development
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 8:20 PM

ANAND : અમુલના 75 વર્ષ પૂર્ણ થતા (#75YearsOfAmul) આ પ્રસંગે યોજાયેલા અમૃત મહોત્સવમાં કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (AMIT SHAH)એ રાષ્‍ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)દ્વારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે 5 હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્‍ચીંગ કર્યું હતું.

આ સાથે તેમણે રાજ્યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ (Bhupendra Patel)ની ઉપસ્‍થિતિમાં દુધનગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં 1.72 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્‍ચીંગ કર્યું હતું. તેમણે ખાત્રજમાં 2500 મેટ્રીક ટન ચીજની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચીઝ વેર હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું.

અમુલ દ્વારા બનાવવામાં આવેલ જૈવિક ખાતર (Biofertilizer)નું લોન્‍ચીંગ કરવા સાથે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમુલની 75 વર્ષની સફળ ગાથા નિદર્શન કરતી સ્‍મરણિકાનું પણ વિમોચન કર્યું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સાથે તેમણે વિશેષ પોસ્‍ટલ સ્‍ટેમ્‍પ તથા ભારતીય પોસ્‍ટ વિભાગ દ્વારા સ્‍પેશિયલ કવર અને દેશમાં 100 કરોડ કોરોના રસીકરણની ઐતિહાસિક સિધ્‍ધિ બદલ વિશેષ એન્‍વલપનું અનાવરણ કર્યું હતું. આ અવસરે તેમના હસ્‍તે મહત્તમ દુધ ઉત્‍પાદક મહિલા સભાસદો, મહત્તમ ઉત્‍પાદક દુધ મંડળીઓના ચેરમેનોનું સન્‍માન કરવામાં આવ્યું હતું.

કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સહિત કેન્‍દ્ર-રાજય સરકારના મંત્રીઓએ ડેરીના પ્‍લાન્‍ટની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે ગૃહમંત્રી શાહે જણાવ્‍યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ પોતાની આગવી દૃષ્‍ટીથી સહકારિતા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃધ્‍ધિના ધ્‍યેય મંત્ર સાથે સહકારિતા મંત્રાલય દ્ધારા સહકારી માળખાને વધુ સુદ્ધઢ બનાવવા જરૂરી બદલાવ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, ઇફકો, ક્રિભકો અને લિજ્જત પાપડ જેવા સહકારિતાના સફળ મોડેલ આપણી સમક્ષ છે ત્‍યારે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્‍મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધુ વધવું પડશે. અમુલ જેવી સહકારી સંસ્‍થા આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ખેડૂતો સજીવ અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એટલું જ નહીં ખેડૂતો દ્ધારા ઉત્‍પાદિત ફળ, ફુલ, શાકભાજી અને ધાન્‍ય જેવી ખેત પેદાશોને સહકારિતાના ધોરણે યોગ્‍ય વેચાણ વ્‍યવસ્‍થા ઉભી કરવા અમુલને પ્‍લેટફોર્મ પુરૂ પાડવા તેમણે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્‍યું કે, સહકારિતાના માધ્‍યમથી ખેતી-ખેડૂતો, પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સમય સાથે આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે બદલાવ લાવી ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારિતાનું આગવું પ્રદાન રહેશે. તેમણે કેન્‍દ્ર સરકારની ડેરી સહકાર યોજનાનો વિશેષ લાભ લઇ ગુજરાતના ડેરી ઉદ્યોગના આંતર માળખાકીય સુવિધામાં વધારો કરવા દુધ સંઘોના સંચાલકોને અનુરોધ કર્યો હતો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">