Gir Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ બે વર્ષ પછી મહા શિવરાત્રિએ ભાવિકોથી ઉભરાશે

સોમનાથ મંદિર મહાશિવરાત્રી પર્વ પર સતત 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજાઓ અને મહાઆરતી પણ યોજાશે. અત્યારથી જ સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટી રહ્યા છે

Gir Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ બે વર્ષ પછી મહા શિવરાત્રિએ ભાવિકોથી ઉભરાશે
સોમનાથ તીર્થમાં બે વર્ષ પછી મહા શિવરાત્રિએ ભાવિકોથી ઉભરાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 11:37 AM

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ (Somnath) તીર્થમાં મહામારી બાદ બે વર્ષ પછી મહા શિવરાત્રિએ (Maha Shivaratri) ભાવિકો મંદિરમાં પ્રવેશ કરી અને સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે. ભારે ઉત્સાહ વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

મહા શિવરાત્રિ પર્વે છેલ્લા બે વર્ષથી ભાવિકો તીર્થ સ્થાનોમાં જતા ગભરાતા હતા પરંતુ મહામારી ભારે માત્રામાં ઘટી રહી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી-ઉત્સવ ભારે ભક્તિભાવપૂર્વક ઉજવવાનું આયોજન કરાયું છે.

સોમનાથ મંદિર મહાશિવરાત્રી પર્વ પર સતત 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજાઓ અને મહાઆરતી પણ યોજાશે. હાલથી જ સોમનાથ તીર્થ માં ભારે ભાવિકો ઉમટી રહ્યા છે અને સોમનાથ પરિસર હર હરના નાદથી ગુંજી રહ્યું છે સૌ ભાવિકો ભગવાન સોમનાથને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મહામારી કોરોના ની સમગ્ર વિશ્વભરમાંથી વિદાય થાય અને લોકોને આરોગ્ય મળે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મહાશિવરાત્રી પર્વને લઇ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને રહેવા જમવા તેમજ દર્શન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે સાથે સાથે સેવાભાવી લોકો દ્વારા ફરાળ મહાપ્રસાદ સહિત નિશુલ્ક ભંડારઓ પણ તૈયાર કરાયા છે તો દેશ-વિદેશમાં વસતા ભાવિકો શિવરાત્રી પર્વ પર પોતાના ઘરે બેસી ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજયના જાપ ઘરમાં જ કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ વ્યવસ્થા કરી છે સોશિયલ મીડિયા અને સોમનાથ ટ્રસ્ટની ઓફીસીયલ વેબસાઇટ પરથી ભાવિકો આરતી દર્શન સાથે મંત્ર જાપ કરી શકશે.

સોમનાથ મહાદેવને ચાર પ્રહરની આરતીમાં વિશેષ અભિષેક કરાશે જેમાં દહી દૂધ મધ શાકર અત્તર ચંદન પુષ્પો અને વિવિધ ફળોના નૈવેધ સાથે દર્શન થશે મહામારીની ગાઈડલાઈન મુજબ ભાવિકોએ મંદિરમાં ચાલતા જ દર્શન કરવાના રહેશે મંદિરની અંદર આરતી કે દર્શન સમયે ભાવિકો વધુ સમય ઉભા રહી નહી શકે તેવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના સાંતેજ વિસ્તારમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

આ પણ વાંચોઃ ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ગુજરાતના 44 વિદ્યાર્થી હેમખેમ ફર્યા પરત, વોલ્વોમાં તમામને અમદાવાદ લવાયા

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">