AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: સોમનાથ મહાદેવને અર્કપુષ્પનો શ્રૃંગાર, શ્રાવણના પ્રથમ સોમવાર માટે કરવામાં આવ્યા છે વિવિધ આયોજનો, જાણો સમગ્ર વિગતો

આજે (Somnath Temple) સોમનાથ મહાદેવને સાંય શ્રૃંગારમાં શ્રાવણ સુદ પ્રતિપદાના પાવન પર્વે વિવિધ પુષ્પો આશરે 51 કિલો પુષ્પોમાંથી (Flower) મનમોહક શૃંગાર દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરવામાં આવેલ હતો. જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા.

Gir Somnath: સોમનાથ મહાદેવને અર્કપુષ્પનો શ્રૃંગાર, શ્રાવણના પ્રથમ સોમવાર માટે કરવામાં આવ્યા છે વિવિધ આયોજનો, જાણો સમગ્ર વિગતો
Somnath mahadev Ark Shrungar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 10:57 PM
Share

ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જો કે ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોઈ પણ ભાવિક ભક્ત મંદિરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે. ટ્રસ્‍ટની વેબસાઈટ અને સોશિયલ મીડિયાના ઓફિશિયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. સોમનાથ ખાતે મહાદેવને વિશિષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવશે તો દિવ્યાંગ, અશક્ત યાત્રિકો માટે વ્હિલચેર અને ઈ રીક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સોમનાથ તીર્થમાં શ્રાવણનો પ્રથમ સોમવાર દિવસભરના કાર્યક્રમો

  1. આવતીકાલે સોમવારે સોમનાથ મંદિર સવારે ચાર વાગ્યેથી ભાવિકોના દર્શન માટે ખુલશે
  2. ત્યારબાદ સવારે 6:00થી 7:00 વાગ્યા સુધી મહાપૂજા થશે, સવારે 7 વાગ્યે પ્રાતહ આરતી થશે
  3. સવારે 8:00 વાગ્યે સવાલક્ષ બિલ્વપત્ર પૂજા થશે
  4. સવારે 9:00 વાગે મંદિર પરિસરમાં ભગવાન સોમનાથની પાલખી યાત્રા યોજાશે.ત્યાર બાદ મહામૃત્યુંજય યજ્ઞ શરૂ થશે
  5.  સવારે 11.30 વાગ્યા મધ્યાહન મહાપૂજા થશે
  6. ત્યારબાદ બપોરે 12:00 વાગે મધ્યાહન આરતી થશે
  7. સાંજે 6:30 સાયમ મહાપૂજા થશે
  8. સાંજે 7:00 વાગ્યે મહાશૃંગાર સાથે સંધ્યા આરતી થશે
  9.  મંદિર રાત્રિના દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે
  10. શ્રાવણ ના પ્રથમ સોમવારે દિવસ ભર ધ્વજારોહણ, તત્કાલ મહાપૂજાઓ અને સોમેશ્વર મહાપૂજાઓ ભાવિકો દ્રારા સતત કરાતી રહેશે

વિથ ઇનપુટ્ઃ યોગેશ જોષી, ગીર સોમનાથ

Follow Us
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
"પટેલો બોલવામાં કડવા હોય છે તેમણે મીઠુ બોલતા શીખવુ પડશે"- અનાર પટેલ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">