AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના દુદાણા ગામના માછીમારનું મોત થયુ છે. વોટ્સએપ દ્વારા આ જાણકારી મળતા પરિવારજનો પર આભ ફાટ્યા જેવી સ્થિત સર્જાઈ છે. મૃતકના પરિવારમાં પાંચ દીકરી અને એક પુત્ર અને એક પત્ની છે. હાલ પરિવારજનોએ તેમનો મૃતદેહ માદરે વતન લાવવાની માગ કરી છે. પાકિસ્તાનની જેલમાં કેદ આ માછીમારને રાત્રે શ્વાસની તકલિફ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 7:44 PM
Share

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ વધુ એક ભારતીય માછીમારનું મોત. કોડીનારના દુદાણા ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયાની વોટ્સએપના માધ્યમથી માહિતી મળી. પાંચ દીકરી અને એક પુત્રના પિતાનું મોત થતાં પરિજનો પર આભ ફાટ્યું. પરિવારજનોએ મૃતદેહ માદરે વતન લાવવા માંગ કરી છે.

પાકિસ્તાન જેલમાં અનેક ભારતીય માછીમારો મોતની સજા ભોગવી રહ્યા છે. જેમાં પણ ગીર સોમનાથના લગભગ 70 ટકા માછીમારો છે. પાકિસ્તાન જેલમાં એક પછી એક માછીમારોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે વધુ એક માછીમારે પાકિસ્તાનની જેલમાં દમ તોડ્યો છે. કોડીનાર તાલુકાના દુદાણા ગામે રહેતા અને હાલ પાકિસ્તાન જેલમાં સજા ભોગવી રહેલા ભૂપતભાઈ જીવાભાઈ વાળાનું મોત થયું છે. જેના કારણે તેના પરિવારમાં માતમ છવાયો છે.

9 ઓક્ટોબરે થયુ હતુ માછીમારનું મોત

પાકિસ્તાન જેલમાં કોડીનાર તાલુકાના વિઠલપુર ગામના માછીમાર હરિભાઈ મૃતક ભૂપતભાઈ જીવાભાઈ વાળા સાથે કરાચીની જેલમાં હતા. જેમણે જેલમાંથી એક ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠી પાકિસ્તાનથી કોઈ પાસે ભૂપતભાઈના પરિજનોના મોબાઈલમાં વો્ટસઅપ કરાવી. જેમાં લખ્યું છે કે તમારી ચિઠ્ઠી ભૂપતભાઈને 6 તારીખના રોજ મળી હતી અને એ વાચી હતી. પરંતુ 8 તારીખે રાત્રે તેને શ્વાસની તકલીફ થતાં અમે અહિંથી મોટી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં 9 તારીખે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. વધુમાં તેમણે જણાવ્યુ કે “અમે તેમનો સામાન અહીથી છૂટશું તે દિવસે સાથે લેતા આવીશું”

આ પણ વાંચો: Junagadh: સિંહ પ્રેમીઓ આનંદો, સાસણ સફારી પાર્ક 4 મહિનાના વેકેશન બાદ ફરી મુકાયુ ખુલ્લુ-Video

પાકિસ્તાનની જેલમાં પૂરતો ખોરાક તથા દવા ન મળવાને કારણે માછીમારોની સ્થિતિ ખરાબ

જોકે પાકિસ્તાન જેલમાં હજુ પણ અનેક ભારતીય માછીમારો છે અને ત્યાં પૂરતો ખોરાક અને દવા ન મળવાના કારણે માછીમારો બિમાર પડતા હોવાનું મુક્ત થઈ આવતા માછીમારોએ અનેક વખત કહ્યું છે. ત્યારે હજુ બે મહિના પહેલાજ કોડીનાર નાનાવડા ગામના માછીમારનું મોત થતાં મૃતદેહ વતન લવાયો હતો અને તેમના પહેલા કોટડા ગામના માછીમારનો મૃતદેહ પણ લવાયો હતો.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">