AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના દુદાણા ગામના માછીમારનું મોત થયુ છે. વોટ્સએપ દ્વારા આ જાણકારી મળતા પરિવારજનો પર આભ ફાટ્યા જેવી સ્થિત સર્જાઈ છે. મૃતકના પરિવારમાં પાંચ દીકરી અને એક પુત્ર અને એક પત્ની છે. હાલ પરિવારજનોએ તેમનો મૃતદેહ માદરે વતન લાવવાની માગ કરી છે. પાકિસ્તાનની જેલમાં કેદ આ માછીમારને રાત્રે શ્વાસની તકલિફ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 7:44 PM
Share

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ વધુ એક ભારતીય માછીમારનું મોત. કોડીનારના દુદાણા ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયાની વોટ્સએપના માધ્યમથી માહિતી મળી. પાંચ દીકરી અને એક પુત્રના પિતાનું મોત થતાં પરિજનો પર આભ ફાટ્યું. પરિવારજનોએ મૃતદેહ માદરે વતન લાવવા માંગ કરી છે.

પાકિસ્તાન જેલમાં અનેક ભારતીય માછીમારો મોતની સજા ભોગવી રહ્યા છે. જેમાં પણ ગીર સોમનાથના લગભગ 70 ટકા માછીમારો છે. પાકિસ્તાન જેલમાં એક પછી એક માછીમારોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે વધુ એક માછીમારે પાકિસ્તાનની જેલમાં દમ તોડ્યો છે. કોડીનાર તાલુકાના દુદાણા ગામે રહેતા અને હાલ પાકિસ્તાન જેલમાં સજા ભોગવી રહેલા ભૂપતભાઈ જીવાભાઈ વાળાનું મોત થયું છે. જેના કારણે તેના પરિવારમાં માતમ છવાયો છે.

9 ઓક્ટોબરે થયુ હતુ માછીમારનું મોત

પાકિસ્તાન જેલમાં કોડીનાર તાલુકાના વિઠલપુર ગામના માછીમાર હરિભાઈ મૃતક ભૂપતભાઈ જીવાભાઈ વાળા સાથે કરાચીની જેલમાં હતા. જેમણે જેલમાંથી એક ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠી પાકિસ્તાનથી કોઈ પાસે ભૂપતભાઈના પરિજનોના મોબાઈલમાં વો્ટસઅપ કરાવી. જેમાં લખ્યું છે કે તમારી ચિઠ્ઠી ભૂપતભાઈને 6 તારીખના રોજ મળી હતી અને એ વાચી હતી. પરંતુ 8 તારીખે રાત્રે તેને શ્વાસની તકલીફ થતાં અમે અહિંથી મોટી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં 9 તારીખે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. વધુમાં તેમણે જણાવ્યુ કે “અમે તેમનો સામાન અહીથી છૂટશું તે દિવસે સાથે લેતા આવીશું”

આ પણ વાંચો: Junagadh: સિંહ પ્રેમીઓ આનંદો, સાસણ સફારી પાર્ક 4 મહિનાના વેકેશન બાદ ફરી મુકાયુ ખુલ્લુ-Video

પાકિસ્તાનની જેલમાં પૂરતો ખોરાક તથા દવા ન મળવાને કારણે માછીમારોની સ્થિતિ ખરાબ

જોકે પાકિસ્તાન જેલમાં હજુ પણ અનેક ભારતીય માછીમારો છે અને ત્યાં પૂરતો ખોરાક અને દવા ન મળવાના કારણે માછીમારો બિમાર પડતા હોવાનું મુક્ત થઈ આવતા માછીમારોએ અનેક વખત કહ્યું છે. ત્યારે હજુ બે મહિના પહેલાજ કોડીનાર નાનાવડા ગામના માછીમારનું મોત થતાં મૃતદેહ વતન લવાયો હતો અને તેમના પહેલા કોટડા ગામના માછીમારનો મૃતદેહ પણ લવાયો હતો.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">