GIR SOMNATH : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ, સુકાતા પાકને જીવનદાન મળ્યું

ગીરસોમનાથ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો થયો ખુશખુશાલ થયા છે અને વરસાદ વરસતા સુકાતા પાકને જીવનદાન મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 1:58 PM

GIR SOMNATH : રાજ્ય વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં આજે 1 સપ્ટેમ્બરના દિવસે વહેલી સવારથી મેઘમહેર થઇ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, કોડિનાર, ઉના, ગીરગઢડા, માં ગઈકાલ રાતથી અને વહેલી સાવરથી વરસાદ પડી રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો થયો ખુશખુશાલ થયા છે અને વરસાદ વરસતા સુકાતા પાકને જીવનદાન મળ્યું છે. ગીરસોમનાથમાં ભારે વરસાદને પગલે તાલાળા અને ગડુને જોડતા પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

તાલાલા તાલુકાના જેપુર-ઘણેજ ગામમાંથી પસાર થતી આંબાખોય નદીના પાણી ગામમાં ફરી વળ્યાં હતા. આંબાખોય નદી આગળ જતાં હીરણ નદીમાં ભળી જાય છે. ગીરમાં ધોધમાર વરસાદને લઈ રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા હતા.
તો તાલાલા તાલુકાના આંબળાસ ગામે અને ગીર જંગલ તેમજ ગીર નજીકના ગામોમાં ધોધમાર વરસાદથી ગીરના વોકળા સજીવન થયા છે. ચાલુ વર્ષે પ્રથમવાર વોકળામાં પાણી આવ્યા છે. આંબળાસ અને ભેરાળા ગામે રસ્તા પર નદી વહી હોઈ તેવા દૃશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદના પગલે ગામડાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.

તાલાલા ગીરના ધાવા ગામે શેરીઓ નદી બની હતી. ભારે વરસાદને કારણે પાણીનો ધોધ વહેતો થયો હતો. તો વેરાવળના ઈણાજ ગામે ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદી સમાન બન્યા હતા. રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 1 ઈચ, ગીરગઢડામાં 2, સૂત્રાપાડામાં અને તાલાલામાં 1.5 ઈચ, કોડીનાર અને ઉનામાં અડધો ઇંચ અને ગીરગઢડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : MOSNOON 2021 : રાજ્યમાં 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">