ગીર-સોમનાથ: નેશનલ હાઈવે પર ખાડાઓ બાબતે સ્થાનિકોનો અનોખો વિરોધ, ખાડાઓમાં રોપ્યું ભાજપનું ‘કમળ’
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યાં બિરાજે છે, તેવા ગીર-સોમનાથ જિલ્લામાં જવાના તમામ નેશનલ હાઈવે બિસ્માર પરિસ્થિતિમાં છે. લોકો દ્વારા તંત્રને અને નેશનલ હાઈવે ઓથોરિટીને ઘણી વાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. ત્યારે કોઈએ રાતોરાત નેશનલ હાઈવે પર રહેલા ખાડા અને ખરાબ રસ્તા પર ભાજપનું કમળ મૂક્યું છે અને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત […]
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યાં બિરાજે છે, તેવા ગીર-સોમનાથ જિલ્લામાં જવાના તમામ નેશનલ હાઈવે બિસ્માર પરિસ્થિતિમાં છે. લોકો દ્વારા તંત્રને અને નેશનલ હાઈવે ઓથોરિટીને ઘણી વાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. ત્યારે કોઈએ રાતોરાત નેશનલ હાઈવે પર રહેલા ખાડા અને ખરાબ રસ્તા પર ભાજપનું કમળ મૂક્યું છે અને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સોમનાથ જતાં જેતપુર સોમનાથ હાઈવે પર ઠેરઠેર ખાડાઓમાં અને ખરાબ રસ્તાઓ પર થરમોકોલથી બનેલા કમળ મુકવામાં આવ્યા છે. જેનાથી એક રીતે વિરોધ પણ થાય અને બહારથી આવતા વાહનચાલકોને ખરાબ રસ્તાનું સૂચન પણ મળે. આ કાર્ય કોંગ્રેસ દ્વારા કરાયું છે કે કોઈ અન્ય સંગઠન દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ રસ્તાઓ બાબતે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. જેનું ઉદાહરણ સત્તા પક્ષને ખાડાઓમાં ઉગેલા કમળ દ્વારા પુરુ પાડવામાં આવ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો