AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભાનું 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ટૂંકું સત્ર મળશે

ગુજરાત(Gujarat)  સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.21  અને 22  સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)  ખાતે ટૂંકું સત્ર મળશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાનું 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ટૂંકું સત્ર મળશે
Gujarat Assembly GandinagarImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 11:07 PM
Share

ગુજરાત (Gujarat)  સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.21  અને 22  સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)  ખાતે ટૂંકું સત્ર મળશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આગામી સમયમાં અંદાજિત રૂ.૩૩૦૦ કરોડના કુલ 20 હજાર જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે. મંત્રી વાઘાણીએ સેવસેતું કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, રાજ્યના નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની વિવિધ સેવાઓ ઘર આંગણે મળી રહે તે આશયથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમના સાત તબક્કાઓ અંતર્ગત 41,14,799  મળેલી અરજીઓ પૈકી 41,14,489  અરજીઓ એટલે કે 99. 99  ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

બે દિવસના સત્રની અંદર દિવંગત સભ્યોને શ્રદ્ધાજલી આપવામાં આવશે આ ઉપરાંત વિધાનસભાનું બીજા દિવસે કામકાજ શરુ કરાશે. આમ બે દિવસના સત્રને લઈને તૈયારીઓ શરુ કરાશે. અગાઉ માર્ચ મહિનામાં સત્ર મળ્યું હતું ત્યારે ચૂંટણીઓ નજીક હોવાથી ઉનાળું સત્ર છેલ્લુ સત્ર હોવાનો અંદાજ હતો પરંતુ ચૂંટણીઓની તારીખો હજુ સુધી જાહેર ના થતા સત્ર બે દિવસનું ટૂંકુ બોલાવવામાં આવશે.

આ ઉપરાંત પ્રવકતા મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ મહત્વનું નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને યોજનાકીય લાભો, ઉચ્ચ અભ્યાસક્રમમાં અનામત તેમજ સરકારી નોકરીમાં અનામતના હેતુ માટે જાતિના પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. એમાં વધુ સરળતા રહે એ માટે આ નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનિસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણ ખાતા દ્વારા જાતિ પ્રમાણપત્રો આપવામાં આવે છે. જે અતર્ગત ધોરણ-૧૦માં શાળામાંથી દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક સત્ર 2022-23 થી ધોરણ 9  અને 10 માં અભ્યાસ કરતા અને નવા શૈક્ષણિક સત્ર 2023 -24થી ધોરણ 9માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્રો માટે શાળાઓ મારફત દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા જાતિના બારકોડેડ પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને શાળામાંજ સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહેશે તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

Follow Us
રાજકોટમાં 887 કિલો અખાદ્ય ફૂડનો નાશ, 62 એકમોને નોટિસ
રાજકોટમાં 887 કિલો અખાદ્ય ફૂડનો નાશ, 62 એકમોને નોટિસ
વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ
વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ
હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
આજનું રાશિફળ: અચાનક મુસાફરી અને શુભ સમાચારના યોગ
આજનું રાશિફળ: અચાનક મુસાફરી અને શુભ સમાચારના યોગ
પાલનપુરમાં સરકારી શાળા બંધ કરવાના આદેશથી વિવાદ: 60 બાળકોનુ ભાવી જોખમમા
પાલનપુરમાં સરકારી શાળા બંધ કરવાના આદેશથી વિવાદ: 60 બાળકોનુ ભાવી જોખમમા
કચ્છમાં વિધર્મીની કાળી કરતુત, સગીરાનું અપહરણ કરી કર્યા નિકાહ
કચ્છમાં વિધર્મીની કાળી કરતુત, સગીરાનું અપહરણ કરી કર્યા નિકાહ
g clip-path="url(#clip0_868_265)">