AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi એ વડનગરની જે શાળામાં અભ્યાસ કર્યો હતો તેનો હેરિટેજમાં સમાવેશ, બનશે પ્રેરણા કેન્દ્ર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના વતની છે અને નરેન્દ્ર મોદીએ વડનગરમાં પોતાનું બાળપણ વિતાવ્યું છે. વડનગર પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે.

PM Modi એ વડનગરની જે શાળામાં અભ્યાસ કર્યો હતો તેનો હેરિટેજમાં સમાવેશ, બનશે પ્રેરણા કેન્દ્ર 
Mehsana Vadnagar Kumar School (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 5:25 PM
Share

ગુજરાતના મહેસાણાના વડનગરમાં(Vadnagar)  વતની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તેની કાયાપલટ થવા જઇ રહી છે. જેમાં ગુજરાત સરકારે 3 માર્ચના રોજ રજૂ કરેલા બજેટમાં આ શાળાનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ 100 વર્ષ જૂની આ શાળાને લોકો માટે પ્રેરણા કેન્દ્ર (Prerna Kendra)  બનાવવાની પણ તૈયારી કરવામાં આવી છે. જેની માટે સરકારે બે કરોડનું બજેટ ફાળવ્યું છે. આ ઉપરાંત વડનગરમાં હેરિટેજ સ્થળોને પણ પર્યટકો માટે વિકસિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડનગરમાં આવેલ વર્ષો જૂની ગાયકવાડી સમયની પ્રાથમિક શાળાને પ્રેરણા કેન્દ્ર તરીકે હેરીટેજમાં સમાવી વિકાસ કરવામાં આવશે. વડનગરની 100 વર્ષ જૂની પ્રાથમિક શાળાના શિક્ષકો શાળાની વાતોને યાદ કરે છે.

નરેન્દ્ર મોદીએ વડનગરના પોતાનું બાળપણ વિતાવ્યું

મહેસાણા જિલ્લાનું વડનગર હાલમાં અનેક રીતે ગુજરાત અને દેશ વિદેશમાં નામના મેળવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના વતની છે અને નરેન્દ્ર મોદીએ વડનગરમાં પોતાનું બાળપણ વિતાવ્યું છે. વડનગર પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે. જેમાં પણ પી એમ મોદીએ જે શાળામાં અભ્યાસ કર્યો છે તે કુમાર શાળા હવે પ્રેરણા કેન્દ્ર બનશે.નરેન્દ્ર મોદીએ વડનગરની કુમાર શાળામાં ધોરણ 1 થી 7 સુધી અભ્યાસ કર્યો હતી. નરેન્દ્ર મોદીને તે સમયે અલગ અલગ શિક્ષકો અભ્યાસ કરાવતા હતા. જો કે આ શાળાને પ્રેરણા કેન્દ્ર બનાવવા માટે સરકાર દ્વારા લાંબા સમયથી આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ આ શાળામાં નવી પેઢીને પ્રેરણા મળી રહે તે પ્રકારનું શાળાનું નવું લુક આપવામાં આવશે.

 વડનગર રેલવે સ્ટેશન પણ હેરિટેજ લુક આપવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત બાળપણમાં નરેન્દ્ર મોદી જ્યાં ચા વેચતા હતા તે વડનગરમાં આવેલા આ રેલવે સ્ટેશન પણ હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. આ સ્ટેશન સાથે પીએમ મોદીની અગણિત યાદો પણ જોડાયેલી છે, જેથી વડનગરને ઐતિહાસિક રેલવે સ્ટેશનની મોટી ભેટ આપી છે. નરેન્દ્ર મોદી પિતા સાથે જ્યાં ચા વેચતા હતા એ દુકાન પણ હાલમાં પણ છે. સમગ્ર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે, જેમાં વડનગર, મોઢેરા, પાટણ હેરિટેજ સર્કિટની રીતે બનાવાયું છે.

આ પણ વાંચો : Ahmedabad: સિટી બસની સેવા લેનારી કોર્પોરેશને જ 2 વર્ષથી નથી ચુકવ્યુ ભાડુ, ખોટમાં ચાલતી AMTSનું કોર્પોરેશને કરોડોનું ભાડુ નથી ભર્યુ

આ પણ વાંચો : Surat : મહાઠગબાજ ભુવો આખરે પોલીસ ગિરફ્તમાં, ભોગ બનનાર મહિલાએ કરી હતી આત્મહત્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">