PM Modi ફરી આવશે ગુજરાત, મહાત્મા મંદિર સહિત આ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત (PM Modi Gujarat Visit) આવશે.આ દરમિયાન તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election) નજીક આવતા વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપના મોટા નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે.માહિતી મુજબ4 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત (PM Modi Gujarat Visit) આવશે.આ દરમિયાન તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે. તેમજ ડિઝિટલ ઇન્ડિયા વિકનો પણ પ્રારંભ કરાવશે. મહત્વનું છે કે, 4 જુલાઇથી 7 જુલાઇ સુધી કાર્યક્રમો યોજાવાના છે.
માતા હિરાબાના જન્મદિવસે આવ્યા હતા વડાપ્રધાન મોદી
આ અગાઉ 17 જુને PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા.જ્યાં અમદાવાદ એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ એરપોર્ટ ખાતે તેમનુ સ્વાગત કર્યું હતું.તમને જણાવીદઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ( Hiraba) 18 જૂને 100 વર્ષના થયા. આ ખાસ દિવસે પીએમ મોદીએ માતા હિરાબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને આશીર્વાદ લીધા હતા. તેમજ પીએમ મોદીએ પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કર્યુ હતુ. બાદમાં તેઓએ વડોદરામાં જનસભાને પણ સંબોધી હતી.
ઉપરાંત 10 જુલાઈએ વડાપ્રધાન (PM Narendra Modi) મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા.એક દિવસના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન વડાપ્રધાન કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ.PM મોદીનો પ્રથમ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતના નવસારીમાં યોજાયો હતો.ઉપરાંત નવસારી જિલ્લામાં PM મોદીનો મેગા શો પણ યોજાયો હતો.