Panchmahal : હાલોલમાં બે બાળકોના શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનો થશે ખુલાસો

પંચમહાલના હાલોલના આંબાવાડીયા ગામના નાના ફળિયામાં રહેતા પરમાર પરિવાર રાત્રે જમી પરવારી સૂઈ ગયો હતો. વહેલી સવારે આકસ્મિક રીતે બંને બાળકોને ઊલટી થઇ હતી.

Panchmahal : હાલોલમાં બે બાળકોના શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનો થશે ખુલાસો
Panchmahal: Suspected death of two children in Halol, postmortem report reveals deaths
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 6:32 PM

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબાવાડીયા ગામમાં બે માસૂમ બાળકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. આ ઘટનામાં સગા બે ભાઈઓ ચાર વર્ષનો શિવમ અને અઢી વર્ષના ચિંતનનું મોત થયું છે. પાવાગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને મૃતદેહોનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

બંને બાળકોને ઊલટી થયા બાદ સારવાર માટે ખસેડાયા હતા પંચમહાલના હાલોલના આંબાવાડીયા ગામના નાના ફળિયામાં રહેતા પરમાર પરિવાર રાત્રે જમી પરવારી સૂઈ ગયો હતો. વહેલી સવારે આકસ્મિક રીતે બંને બાળકોને ઊલટી થઇ હતી. બાદમાં બંને બાળકોની તબિયત લથડી હતી. જેથી બંને બાળકોને હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તબીબે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા.ઘટનાના પગલે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અને મૃતક બાળકોના પરિવારે પેનલ પોસ્ટ મોર્ટમની માગ કરી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે પોલીસે બંને બાળકોના પેનલ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. બાળકોના મોતનું કારણ જાણવા પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.પાવાગઢ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને હાલોલ પંથકમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બંને બાળકોના મોતનું સાચું કારણ બહાર આવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

હાલ તો આ બંને બાળકોના મોતને લઇને આસપાસના વિસ્તારમાં તરેહતરેહની વાતો થઇ રહી છે. પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત મામલે ખુલાસો થશે. કે બિમારીને કારણે મોત થયું છેકે પછી અન્ય છે કોઇ કારણ ? તેની હવે રાહ જોવી રહી.

આ પણ વાંચો : દબાણ અને ગેરકાયદે બાંધકામ સામે AMCની મેગા ડ્રાઈવ, ત્રણ મહિનામાં 1100 કરોડના 28 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા

આ પણ વાંચો : Girsomnath : પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત, દેશનું સૌથી ભવ્ય “કમળ” આકારનું કાર્યાલય બનશે

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">