AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં હજી બે દિવસ વરસાદનું જોર રહેશે યથાવત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હજી એક દિવસ ભારે વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાતમાં હજી બે દિવસ વરસાદનું જોર રહેશે યથાવત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 7:52 AM
Share

ગુજરાતમાં હજી એક દિવસ ભારે વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિદ્વારકામાં અતિભારે વરસાદ પડશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ગુજરાતના દરિયાાકાંઠે આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમ થશે. જેનાથી આગામી સમયમાં ગુજરાતમાં વધુ વરસાદ આવે તેવી શક્યતા છે. માછીમારો અને બંદરો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં વરસાદનું જોર યથાવત

વલસાડ (Valsad) માં વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ હતું. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તો જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘો કહેર બનીને વરસ્યો છે. કોસંબામાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે તો ધરમપુરમાં રીતસર આભ ફાટ્યુ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જિલ્લાની ઔરંગા અને વાકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પૂરની સ્થિતિ વચ્ચે પ્રધાન જીતુ ચૌધરીએ કંટ્રોલરૂમની મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી. જોકે સંકટના સમયે NDRFની ટીમ જીવના જોખમે કામગીરી કરી રહી છે અને પૂરગ્રસ્તો માટે દેવદૂત સાબિત થઇ રહી છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી સતત પડી રહેલા વરસાદ અને હજુ આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહીના પગલે સરકાર સતત એલર્ટ મોડમાં છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વરસાદી વિસ્તારોની સ્થિતિનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. જેમાં આજે ખાસ કરીને નવસારી જિલ્લામાં ઉભી થયેલી વિકટ સ્થિતિનો ક્યાસ મેળવવા તેઓ ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. તેમણે નવસારી અને વલસાડ ના કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ થી વાતચિત કરી જાણકારી મેળવી હતી. જેમાં ખાસ કરીને લોકોને સલામત સ્થળે ખસેડવા,માર્ગો ખુલ્લા કરવા એન ડી આર એફ ની વધુ મદદ હાઇવે ની સ્થિતિ જેવી બાબતે તેમણે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે મુખ્ય સચિવ પંકજ કુમાર અને અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">