AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ

Corona Guideline in Gujarat : આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM BHUPENDRA PATEL)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નવી ગાઈડલાઈનને મંજૂરી આપવામાં આવી છે.

GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ
New guideline on corona virus released in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 8:05 PM
Share

GUJARAT : ગુજરાતમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ વધતા સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા સરકાર હવે શક્ય એ તમામ પગલાઓ ભરી રહી છે. કોરોના વાયરસના કેસો વધતા સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સરકારે વાઇબ્રન્ટ સમિટ સહીતના મોટા કાર્યક્રમો રદ્દ કર્યા છે, હવે આ દિશામાં રાજ્યમાં નવી કોરોના ગાઈડલાઈન (Guideline) જાહેર કરવામાં આવી છે. આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM BHUPENDRA PATEL)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નવી ગાઈડલાઈનને મંજૂરી આપવામાં આવી છે.

17 જેટલા નિયંત્રણો લાગુ

શહેરોમાં આ નિયંત્રણો લાગુ

1) રાત્રિ કર્ફ્યું : રાજયના અમદાવાદ શહેર , વડોદરા શહેર , સુરત શહેર , રાજકોટ શહેર , ભાવનગર શહેર , જામનગર શહેર , જુનાગઢ શહેર , ગાંધીનગર શહેર , ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર , અને નડીયાદમાં દરરોજ રાત્રિના 10 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રિ કર્યુ અમલમાં રહેશે.

2) વ્યપારની પ્રવૃત્તિઓ : ઉપરોકત શહેરોમાં સામે દર્શાવેલ વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

3) હોટેલ અને રેસ્ટોરન્ટ : બેઠક ક્ષમતાના 75 % સાથે રાત્રિના 10  કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ / રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના 11 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

સમગ્ર રાજ્યમાં આ નિયંત્રણો લાગુ

1) રાજકીય-સામાજિક મેળાવડા : ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના 50% ( મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

2)લગ્ન પ્રસંગ : ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના % ( મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે . લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.

3) અંતિમક્રિયા અને દફનવિધિ : મહત્તમ 100 ( એકસો ) વ્યક્તિઓની મંજુરી

4) પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ : નોન એ.સી. બસ સેવાઓ ૭૫ % ક્ષમતા સાથે ( Standing not allowed ) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ 75% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.

5) સિનેમા હોલ : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

6) જીમ : સમાવેશ ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

7) વોટરપાર્ક અને સ્વીમીંગ પુલ : ક્ષમતાના મહત્તમ 50% સાથે ચાલુ રાખી શકાશે.

8) વાંચનાલયો : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

9) ઓડીટોરીયમ, હોલ, મનોરંજક સ્થળો : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

10) જાહેર બાગ-બગીચા : રાત્રિના 10 કલાક સુધી

11) ધોરણ 9 થી ગ્રેજ્યુએટ સુધીની અભ્યાસ પ્રવૃત્તિઓ : સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે

12) શૈક્ષણિક સંસ્થાઓ : રાજયભરની શાળાઓમાં ધોરણ 1 થી 9 માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ તા.31-1-2022  સુધી બંધ રહેશે.માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે.

13) શાળા અને કોલેજો અને પરીક્ષાઓ : કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

14 ) સ્પોર્ટ્સ કોમ્લ્પેક્ષ, સ્ટેડીયમ અને સંકુલમાં રમત ગમત : પ્રેક્ષકોની હાજરી વગર ચાલું રાખી શકાશે.

 વેક્સિનના બે ડોઝ ફરજિયાત : ઉપરની તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરવામાં આવ્યાં છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">