ફરી માસ પ્રમોશન: રાજ્યમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત
શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે.
કોરોના (Corona) ની પરિસ્થિતિને કારણે આ વર્ષે પણ રાજ્યમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ (students) ને માસ પ્રમોશન આપવામાં આવશે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે.
તેમણે ટ્વીટમાં એમ પણ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલ વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગ બઢતી આપવા અંગેના તા. 21-09-2019નના જાહેરનામાના અમલને સરકાર દ્વારા ચાલુ વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે.
આ નિર્ણયને કારણે ધેરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગ બઢતી આપવામાં આવશે.
પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુબજ દ્વિતિય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગ બઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે કોરોના ઓછો થઈ ગયો હોવાથી દિવાળી બાદ તમામ સ્કૂલોમાં ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ ગયો હતો. પરંતુ વર્ષની શરૂઆતમાં ઓનલાઇન શિક્ષણ આપવું પડ્યું હતું તે વાતને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ બઢતીનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય pic.twitter.com/SKjofQnqe8
— Jitu Vaghani (@jitu_vaghani) May 2, 2022