ગૃહપ્રધાન Amit Shahએ કહ્યું, હવે Third degree ના દિવસો ગયા, CRPC, IPC અને IEA માં પરિવર્તનના આપ્યા સંકેત
ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે સેન્ટર ફોર એક્સલેંસના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકાર CRPC, IPC અને IEA કાયદાઓમાં પરિવર્તન કરવા જઈ રહી છે. આમાં કેટલીક કલમો દુર કરાશે અને સાથે નવી કલમો જોડવામાં આવશે.
GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોના સંશોધન અને વિશ્લેષણ માટેના સેન્ટર ફોર એક્સલેંસનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ તેમણે સંકેતો આપ્યા કે ભારત સરકાર CRPC, IPC અને IEA કાયદાઓમાં પરિવર્તન કરવા જઈ રહી છે.ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે હવે થર્ડ ડીગ્રી ટોર્ચર ( Third degree) ના દિવસો નથી રહ્યા.
હવે થર્ડ ડીગ્રીના દિવસો ગયા : અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે સેન્ટર ફોર એક્સલેંસના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે મારા માટે આનંદની વાત છે કે જ્યારે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની રચના થઈ ત્યારે મોદીજી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને હું ગૃહપ્રધાન હતો, અને જ્યારે તે ગુજરાતમાંથી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બની ત્યારે મોદીજી દેશના વડાપ્રધાન છે અને હું ગૃહપ્રધાન છું. મોદી સરકાર દેશની ક્રિમીનલ જસ્ટિસ સીસ્ટમને મજબૂત અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે હવે થર્ડ ડીગ્રી ટોર્ચર ( Third degree) ના દિવસો નથી રહ્યા. એટલે કે ગુનેગારની પૂછપરછ માટે આપવામાં આવતા થર્ડ ડીગ્રી ટોર્ચરની જરૂર નથી. કારણ કે પોલીસની તપાસ હવે વૈજ્ઞાનિક પુરાવાઓ અને સાક્ષ્યને આધારે થવી જોઈએ.વૈજ્ઞાનિક પુરાવાને આધારે પૂછપરછ કરવાથી કઠણ વ્યક્તિને પણ ગુનો કબુલ કરાવી શકાય છે અને ગુનેગાર બનાવી શકાય છે.
मेरे लिए हर्ष का विषय है कि जब गुजरात फोरेंसिक सांइस यूनिवर्सिटी बनी तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे व मैं गृह मंत्री और जब वो NFSU बनी तो मोदी जी देश के प्रधानमंत्री हैं व मैं गृह मंत्री।
देश के क्रिमिनल जस्टिस सिस्टम को सशक्त व परिणामलक्षी बनाने हेतु मोदी सरकार कटिबद्ध है। pic.twitter.com/44obbzrC0Y
— Amit Shah (@AmitShah) July 12, 2021
અપરાધના કાયદાઓમાં ધડમૂળથી ફેરફાર કરવા ઈચ્છે છે સરકાર : અમિત શાહ ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) એ કહ્યું કે ભારત સરકાર CRPC, IPC અને IEA અપરાધ કાયદાઓમાં ધડમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે. આમાં કેટલીક કલમો દુર કરાશે અને સાથે નવી કલમો જોડવામાં આવશે. તેમણે કહ્યું કે મેં બહુ પહેલા જ સૂચન કર્યું હતું કે 6 વર્ષથી વધુના સજાપાત્ર તમામ ગુનાઓમાં ફોરેન્સિક સાયન્સની મુલાકાત ફરજિયાત બનાવવી જોઈએ. જોવામાં આ ખુબ સારું લાગે છે, પણ આપણી પાસે માનવબળ નથી.
દરેક જિલ્લામાં હોવી જોઈએ FSL મોબાઈલ વાન : અમિત શાહ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે દેશના દરેક જિલ્લામાં એક ફોરેન્સિક સાયન્સ લેબ મોબાઈલ વાન (Forensic Science Lab Mobile Van) હોવી જોઈએ. પણ આના માટે આપે યોગ્ય અને સક્ષમ વિદ્યાર્થીઓની જરૂર પડશે અને આ ત્યારે જ શક્ય બનશે જયારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) દરેક વિસ્તારમાં પોતાની કોલેજ શરૂ કરે, આપણે હવે વધુ રાહ નથી જોઈ શકતા.