GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 17 સપ્ટેમ્બરે કોરોનાના નવા 25 કેસ નોંધાયા, સાંજે 7 વાગ્યા સુધીમાં 18 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 17 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 20 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,446 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.
GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસો ફરી સૂચક રીતે વધ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી નવા કેસો 20ની નીચે આવતા હતા, પણ આજે 16 સપ્ટેમ્બરે 22 અને ત્યારબાદ 17 સપ્ટેમ્બરે ફરી એક વાર 20 થી વધુ નવા કેસ સામે આવ્યાં છે. જો કે આમાં રાહતની વાત એ છે કે એક્ટીવ કેસો વધ્યા નથી, કારણ કે નવા કેસો આવવાની સાથે એટલા જ પ્રમાણમાં કોરોનાના દર્દીઓ સાજા થઇ રહ્યાં છે.
કોરોનાના 25 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 17 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 25 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,701 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે.
રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 11, અને સુરત શહેર અને જિલ્લામાં 4-4 , વડોદરા શહેરમાં 3 , ગીરસોમનાથ જિલ્લો, જામનગર શહેર અને કચ્છ જિલ્લામાં કોરોના વાયસરનો 1-1નવો કેસ નોંધાયો છે.
20 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 154 થયા રાજ્યમાં આજે 17 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 20 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,446 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 17 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 154 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.
આજે સાત વાગ્યા સુધીમાં 18 લાખ લોકોનું રસીકરણ આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે રાજ્ય સહીત દેશભરમાં મેગા રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આજના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક રસીકરણ કરવામાં આવ્યું છે. આજે સાત વાગ્માંયા સુધીમાં રાજ્યમાં કુલ 18 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે, જે ગુજરાતના રસીકરણના ઈતિહાસમાં સૌથી મોટો આંકડો છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. આ મેગા ડ્રાઈવ આજે રાત્રીના 10.00 કલાક સુધી ચાલશે.
આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીનું કાર્યકર્તાઓને સંબોધન,”ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામૂં આપ્યું”, અનેક કાર્યકર્તાઓ થયા ભાવુક
આ પણ વાંચો : PM Modi ના જન્મદિન નિમિત્તે રાજ્યમાં અનેક યોજનાઓથી આટલા કરોડનો લાભાર્થીઓને મળ્યો લાભ