GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 10 ઓક્ટોબરે કોરોનાના નવા 24 કેસ નોંધાયા, 17 દર્દીઓ સાજા થયા, 8.58 લાખ લોકોનું રસીકરણ થયું

|

Oct 11, 2021 | 8:12 PM

રાજ્યમાં આજે 10 ઓકટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,872 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 10 ઓક્ટોબરે કોરોનાના નવા 24 કેસ નોંધાયા, 17 દર્દીઓ સાજા થયા, 8.58 લાખ લોકોનું રસીકરણ થયું
Gujarat Corona Update 24 new cases of corona were reported and 18 patients recovered on 10 October 2021

Follow us on

GUJARAT CORONA UPDATE : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 14 થી 26 ની વચ્ચે રહ્યું છે. 10 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મોત નીપજ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે આજે 10 ઓક્ટોબરે એક પણ મૃત્યુ નોંધાયું નથી.
જો કે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ જે 150 આસપાસ રહેતા હતા એ વધીને 180 આસપાસ રહેવા લાગ્યા છે.

કોરોનાના 18 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 10 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,142 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,086 પર પહોચ્યો છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 કેસ, સુરત શહેરમાં અને વલસાડ જિલ્લામાં 4 -4 કેસ, વડોદરા શહેર અને સુરત જિલ્લાના 2-2 કેસ નોંધાયા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

17 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 183
રાજ્યમાં આજે 10 ઓક્ટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 17 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,872 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 10 ઓક્ટોબરે એક્ટીવ કેસ 183 પર પહોચ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 8.58 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 10 ઓક્ટોબરના રોજ 8,58,029 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18-45 ઉમરવર્ગના 2.30,464 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો અને 18-45 ઉમરવર્ગના 3,51,367 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જયારે 45 થી વધુ ઉમરના 74,555 લોકોને પ્રથમ ડોઝ અને 1,90,229 લોકોને બીજો ડોઝ અપાયો છે.

 

આ પણ વાંચો : કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?

આ પણ વાંચો : JAMNAGAR : વેશભુષા સાથે પ્રાચીન ગરબામાં છેલ્લા 61 વર્ષથી પ્રખ્યાત શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ

 

Published On - 8:26 pm, Sun, 10 October 21

Next Article