AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?

નિર્દયી સચિને શિવાંશને તરછોડ્યો, પણ એ પહેલા તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી હતી. અહી સવાલ એ છે કે સચિને શા માટે તેના બાળકની માતા એવી તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી ?

કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?
Know why Shivansh's father Sachin Dixit killed his girlfriend Mahendi Pethani
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 4:48 PM
Share

GANDHINAGAR : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માસુમ શિવાંશ (Shivansh) ના માતા-પિતાને શોધવા ગાંધીનગર પોલીસે આખરે જમીન આસમાન એક કરીને એક જ દિવસમાં બાળકના માતા-પિતાને તો શોધી નાખ્યા, પણ આ ઘટના પાછળ હત્યાની ઘટનાનો એટલો મોટો ખુલાસો થયો છે એ જે જાણીને સૌ કોઈનું કાળજું કંપાવી દે. શિવાંશના પિતા સચિન દીક્ષિત (Sachin Dixit) છે, પણ શિવાંશ સચિન દીક્ષિત અને તેની પત્ની આરાધનાનો પુત્ર નથી પણ શિવાંશ સચિન અને તેની મહેંદી (Mahendi Pethani)નો પુત્ર છે. નિર્દયી સચિને શિવાંશને તરછોડ્યો, પણ એ પહેલા તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી હતી. અહી સવાલ એ છે કે સચિને શા માટે તેના બાળકની માતા એવી તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી ?

મહેંદી અને સચિન 2019થી સાથે રહેતા હતા સચિન અને હિના ઉર્ફે મહેંદી 2016માં એકબીજાના સંપર્કમાં આવ્યાં હતા. મહેંદીની હત્યા તેના જ પ્રેમી સચિને કરી નાંખી એ મુદ્દે પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સચિન દીક્ષિત 2016માં એક શોરૂમમાં ગયો ત્યારે મહેંદીના પરિચયમાં આવ્યો હતો. મહેંદી પેથાણી શોરૂમમાં નોકરી કરતી હતી તેથી તેની સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. મહેંદી અને સચિન બંને 2019થી સાથે રહેતા હતા અને બે મહિના પહેલાં સચિન વડોદરામાં ઓઝોન કંપનીમાં જોડાયો હતો અને તે 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર રહેતો હતો.

સચિને શા માટે કરી મહેંદીની હત્યા ? મહેંદીની હત્યા અને શિવાંશને તરછોડવો આ બંને ઘટનામાં સચિન અને મેહંદીના લગ્નેત્તર સંબંધો કારણભૂત બન્યા છે. વિવાહિત સચિન અને મહેંદીના પ્રેમ સંબંધે માસુમ શિવાંશનું આ દુનિયામાં આગમન થયું પણ આ જ પ્રેમ સંબંધ મહેંદીની હત્યાનો પણ કારણ બન્યો.

વાત એમ છે કે સચિન વડોદરામાં ઓઝોન કંપનીમાં નોકરી કરે છે. તે 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર રહેતો હતો. પણ બંનેના પ્રેમસંબંધને કારણે સાથે રહેવા બાબતે ઝઘડો થયો હતો. મળતી માહિતી પ્રમાણે મહેંદી અને સચિન વચ્ચે રકઝક થઇ હતી અને મહેંદીએ સચિનને કહ્યું કે તે તેની સાથે રહે અથવા તેની પત્ની અનુરાધા સાથે રહે. સચિન પોતાની પત્ની અને પરિવારને છોડવા માંગતો ન હતો, બસ આ જ કારણથી સચિને શિવાંશની માતા અને તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી.

જાણો કેવી રીતે કરી મહેંદીની હત્યા સચિન અને મહેંદી વચ્ચે ઝઘડો થયા બાદ સચિને મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાખી પછી મહેંદીના મૃતદેહને સૂટકેસમાં પેક કરી ઘરમાં જ મૂકી દીધો હતો. સચિને વડોદરામાં દર્શના ઓવરસીસ ખાતે મહેંદીની હત્યા કરી હતી. સચિને ગળું દબાવીને મહેદની હત્યા કર્યા બાદ મૃતદેહને બેગમાં પેક કરી હતી અને રસોડામાં રાખી દીધો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સચિનની માનસિક હાલત બહુ સારી નથી. તેણે મહેંદીના મૃતદેહનો નિકાલ કર્યા વગર જ રસોડામાં જ રાખી દીધો હતો.

આ પણ વાંચો : શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, પિતા સચિને જ ગળું દબાવી માતા મહેંદીની હત્યા કરી હોવાનો ખુલાસો

આ પણ વાંચો : શિવાંશની માતા મહેંદી ન મળતા પોલીસની તપાસનો ધમધમાટ, મહિલા પ્રેમીની હત્યાની આશંકા અંગે તપાસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">