Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19ના નવા 490 કેસ, 6 મૃત્યુ, રાજ્યમાં 2 કરોડ લોકોનું રસીકરણ પૂર્ણ થયું

Gujarat Corona Update : રાજ્યમાં આજે 12 જૂને સૌથી વધુ 2,94,583 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,00,30,392 (બે કરોડથી વધુ) લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19ના નવા 490 કેસ, 6 મૃત્યુ, રાજ્યમાં 2 કરોડ લોકોનું રસીકરણ પૂર્ણ થયું
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 9:29 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે. રાજ્યમાં આજે 12 જૂનના રોજ કોરોનાના 490 નવા કેસ નોંધાયા છે. આ સાથે 1278 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે પહેલીવાર 2.94 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આજે રાજ્યના રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં 2,00,30,392 (બે કરોડથી વધુ) લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

490 નવા કેસ, 6 મૃત્યુ રાજ્યમાં આજે 12 જૂનના રોજ કોરોનાના નવા 490 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,19,866 થઇ છે અને મૃત્યુઆંક 9991 થયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, જામનગર શહેરમાં 1, જુનાગઢ જિલ્લામાં 1, ભરૂચ જિલ્લામાં 1, અને અરવલ્લી જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

સુરતમાં 74, અમદાવાદમાં 62 નવા કેસ રાજ્યમાં આજે 12 જૂનના રોજ સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 74 ,અમદાવાદમાં 62, વડોદરામાં 44, રાજકોટમાં 16, જામનગરમાં 12, ગાંધીનગરમાં 6 તેમજ જુનાગઢ અને ભાવનગર કોરોનાના 4-4 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)

1278 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 12 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1278 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,99,012 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.46 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 10,863 થયા છે, જેમાં 272 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 10,591 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

પહેલીવાર 2.94 લાખથી વધુ લોકોનું રસીકરણ રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે પહેલીવાર 2.86 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે 12 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,94,583 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,00,30,392 (બે કરોડથી વધુ) લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સફળતાપૂર્વકની કામગીરી માટે આરોગ્ય વિભાગના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. રાજ્યમાં આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 1659 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 3445 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 44,302 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 29,953 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 2,09,171 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 11,053 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : SAD BSP Alliance : પંજાબમાં અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે થયું ગઠબંધન, બેઠકોની વહેંચણી પણ કરી લીધી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">