Gujarat Budget 2022 : જાણો પ્રથમ વખત બજેટ રજૂ કરનારા રાજયના નાણાં મંત્રી કનુ દેસાઇની રાજકીય કારકિર્દી

ગુજરાત વિધાનસભામાં 3 માર્ચ અને ગુરુવારના રોજ રાજયના નવા  નાણામંત્રી કનુભાઈ દેસાઈ  પણ પ્રથમ બજેટ રજૂ  કરશે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચુંટણી પણ યોજાવવાની છે તેવા સમયે રાજયના  68 વર્ષીય  નાણાં મંત્રી કનુભાઈ દેસાઇના પીટારામાંથી લોકોને શું મળશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે.

Gujarat Budget 2022 :  જાણો  પ્રથમ વખત બજેટ રજૂ કરનારા રાજયના નાણાં મંત્રી કનુ દેસાઇની રાજકીય કારકિર્દી
Gujarat Finance Minister Kanu Desai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 10:40 PM

ગુજરાત વિધાનસભાનું(Gujarat Assembly)  બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થયું છે. તેમજ પ્રથમ દિવસે કોંગ્રેસના હંગામા સાથે બજેટ સત્રની શરૂઆત થઈ છે. જો કે 3 માર્ચ અને ગુરુવારના રોજ રાજયના નવા  નાણામંત્રી કનુભાઈ દેસાઈ(Kanu Desai)  પણ પ્રથમ બજેટ(Budget ) રજૂ  કરશે. સામાન્ય રીતે નાણાં મંત્રી બનેલા વલસાડના પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ અંગે લોકો ઓછા પરિચિત છે. ત્યારે આવો જાણીએ તેમની રાજકીય કારકિર્દી અંગેગુજરાતના નાણાંમંત્રી કનુ દેસાઇ દક્ષિણ ગુજરાતના વલસાડની પારડી બેઠકના ધારાસભ્ય છે. તેમજ તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબીનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ તેમને રાજયના અતિ મહત્વનું એવું નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે. લો પ્રોફાઇલ એવા કનુ દેસાઈએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપમાં સંગઠનમાંથી કરી હતી. ભાજપના મહામંત્રી પદથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 2012માં પારડી બેઠક પરથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. જયારે તેની બાદ બીજી વાર વર્ષ 2017માં પણ પારડી બેઠક પરથી  જીત મેળવી હતી.ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચુંટણી પણ યોજાવવાની છે તેવા સમયે રાજયના  68 વર્ષીય  નાણાં મંત્રી કનુભાઈ દેસાઇના પીટારામાંથી લોકોને શું મળશે તેની લોકો  રાહ જોઇ રહ્યા છે.

કુલ 22 દિવસનું બજેટ સત્ર હશે

ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ  ગુરુવારે  પ્રથમ બજેટ રજૂ કરશે. વર્તમાન સત્રમાં 8 શનિવાર–રવિવારની રજાઓ સિવાય, સત્ર 18 માર્ચે હોળીની રજા સહિત 9 દિવસને બાદ કરતાં બાકીના 22 દિવસો માટે મળશે. વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સશકિતકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. એકંદરે જોવામાં આવે તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર લોકો માટે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર બજેટ લાવે તેવું લાગી રહ્યું છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારવામાં આવે તેવી પણ સંભાવના છે

નવા અને સુધારાત્મક વિધેયક લાવવામાં આવે તેવી સંભાવના

સત્ર દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા કેટલાક નવા અને સુધારાત્મક વિધેયક લાવવામાં આવે તેવી સંભાવના છે જેમાં , લેન્ડ ગ્રેબિંગ સુધારા વિધેયક, નવું કૃષિ યુનીવર્સીટી બિલ, ઓન લાઇન જુગાર જેવી રમતો પર નિયંત્રણ લાદતું બિલ, મોલ સિનેમા જેવા જાહેર સ્થળોને cctvના એક્સેસની સત્તા આપતું બિલ, રખડતા પશુઓ ઉપર નિયંત્રણ માટેનું બિલ, અશાંત વિસ્તાર ધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : Kutch : ચોખા ભરેલી ટ્રકની લુંટ કરી મુદ્દામાલ વહેંચવાનો પ્લાન અંજાર પોલીસે નિષ્ફળ બનાવ્યો, ચાર શખ્સની ધરપકડ

આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું આંદોલન યથાવત, કાયમી કરવાની માગ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">