GSEB Board Exam 2023 : ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
GSEB Board Exam 2023 : ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
GSEB Board Exam 2023 : ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે. GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે લેવામાં આવશે જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ, સુપરવાઈઝર કે શાળાનો સ્ટાફ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈ જઈ શકશે નહી
આ સમગ્ર પરીક્ષાના આયોજનની વાત કરીએ તો, ગુજરાતમાં 139 ઝોનમાં 1,623 કેન્દ્રો, 5,541 બિલ્ડિંગના કુલ 56,633 બ્લોકમાં પરીક્ષા યોજાશે. 66 જેટલા સેંન્સિટિવ સેંટર પર પેરા મીલીટરી ફોર્સ તૈનાત રહેશે. ધોરણ 10ની 101 અને ધોરણ 12માં 56 વિદ્યાર્થીઓ 4 અલગ અલગ જેલમાંથી પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ, સુપરવાઈઝર કે શાળાનો સ્ટાફ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈ જઈ શકશે નહી.
પરીક્ષા કેન્દ્રમાં હોલ ટિકિટ સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે
આ પરીક્ષા કેન્દ્રમાં હોલ ટિકિટ સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, બેગ સહિત ઇલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. CCTV થી પરીક્ષા કેન્દ્રનું સતત મોનીટરીંગ કરાશે, જેના માટે વિશેષ કમિટીની રચના કરાઈ છે. બોર્ડની સ્ક્વોડ ટીમ સિવાય કલેકટર કચેરી દ્વારા પણ અધિકારીઓની નિમણૂક કરાઈ છે, જે પરીક્ષા સમયે ફરજ પર રહેશે. જ્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમનાથી એક ધોરણ નીચેનું પોતાની શાળાનો કે અન્ય શાળાનો વિદ્યાર્થી લહિયા તરીકે આપી શકાશે
આ ઉપરાંત બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન પ્રમાણે તમામ શાળાની આસપાસના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો ફરજીયાત પણે બંધ રાખવાના રહેશે તેમજ આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવશે.શાળા અને આસપાસના વિસ્તારમાં સીસી ટીવી કેમેરા મુકાશે.
પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે
પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને આઇ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને તેના સિવાયના કોઇ વ્યક્તિ શાળામાં પ્રવેશ ન કરે તેની પણ તકેદારી શાળા સંચાલકો અને આચાર્યએ રાખવાની રહેશે. પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે અને ગરમીના સમયમાં વર્ગ ખંડમાં જ વિદ્યાર્થીઓને પીવાનું પાણી આપવામાં આવશે.