Gandhinagar: PM મોદીના માતા હિરાબાએ લહેરાવ્યો ત્રિરંગો, બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી હર ઘર ત્રિરંગા અભિયાનના બન્યા સહભાગી

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ તેમના રાયસણ ખાતેના ઘરે ત્રિરંગો ઝંડો લહેરાવ્યો હતો. હાથમાં ત્રિરંગો લઈ હિરાબા ઘરની બહાર બાળકો સાથે ત્રિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા, આ દરમિયાન તેમણે સામાન્ય પરિવારના બાળકોને ત્રિરંગાનું વિતરણ કર્યુ હતુ.

Gandhinagar: PM મોદીના માતા હિરાબાએ લહેરાવ્યો ત્રિરંગો, બાળકોને રાષ્ટ્રધ્વજનું  વિતરણ કરી હર ઘર ત્રિરંગા અભિયાનના બન્યા સહભાગી
હિરાબા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 7:48 PM

દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના માતા હીરા બા પણ સહભાગી થઈ રહ્યા છે. PM મોદીએ તમામ દેશવાસીઓને 13 થી 15 ઓગષ્ટ દરમિયાન હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દરેક દેશવાસીને તેમના ઘર ત્રિરંગો લહેરાવવા આહ્વાન કર્યુ છે. એટલુ જ નહી કોઈપણ વ્યક્તિ પોતાના ઘર, કામના સ્થળે, સરકારી કચેરીએ ત્રિરંગો ઝંડો લહેરાવી શકશે. હર ઘર ત્રિરંગા અભિયાનને લઈને દરેક દેશવાસીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબા પણ સહભાગી બન્યા છે. તેમણે ગાંધીનગર (Gandhinagar)ના રાયસણ ખાતેના તેમના નિવાસસ્થાને સામાન્ય પરિવારના બાળકોને ત્રિરંગાનું વિતરણ કર્યુ હતુ અને બાળકો સાથે ત્રિરંગો (Tiranga) ઝંડો લહેરાવ્યો હતો. આ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયુ હતુ.

હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો ત્રિરંગો

હીરાબાએ તેમના ઘરની નજીક આવેલા ગુડાના મકાનોમાં રહેતા મધ્યમવર્ગિય અને સામાન્ય પરિવારના બાળકોને  ત્રિરંગાનું વિતરણ કર્યુ હતુ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. 100 વર્ષની જૈફ વયે પણ હિરા બા હર ઘર ત્રિરંગા અભિયાનમાં સહભાગી બની પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો અને દેશવાસીઓને પણ પ્રેરિત કર્યા હતા. આપને જણાવી દઈએ કે 18 જૂને હીરાબાએ 100 વર્ષ પૂર્ણ કર્યા છે, આ દિવસે PM મોદી પણ માતાના આશિર્વાદ લેવા ગૃહરાજ્ય ગુજરાત આવ્યા હતા અને માતૃવંદના કરી તેમના આશિર્વાદ મેળવ્યા હતા.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

હર ઘર ત્રિરંગા અભિયાનના સહભાગી બન્યા હિરાબા

આ પ્રથમવાર નથી કે હિરાબા એ તેમનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હોય, તેઓ હંમેશા સામાન્ય નાગરિકની જેમ જ તેમનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા રહે છે, કોરોના સમયે પણ હિરાબાએ વેક્સિનના બંને ડોઝ લઈ લોકોને કોરોનાની રસી લેવાની પ્રેરણા પુરી પાડી હતી. આટલુ જ નહીં દેશમાં કોરોનાની પ્રથમ લહેર સમયે પીએમ મોદીએ જનતા કર્ફ્યુ બાદ રાત્રે કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા માટે ઘંટડી વગાડવા આહ્વાન કર્યુ હતુ. તેમા પણ હિરાબાએ થાળી અને ચમચી વગાડી કોરોના વોરિયરનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.

આટલુ જ નહીં હિરાબા દરેક ચૂંટણીમાં મતદાન કરવા માટે જાય છે. કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હિરાબા તેમના મતાધિકારનો પ્રયોગ કરે છે. તો નોટબંધી સમયે પણ તેઓ સામાન્ય નાગરિકની જેમ બેંક બહાર લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. દેશની દરેક બાબતમાં હિરાબા PM મોદીનો સહયોગ કરતા જોવા મળ્યા છે.

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">