AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : ગ્રામ વિકાસ મંત્રી કલોલના આદર્શ ગામ બિલેશ્વપુરાની મુલાકાતે, મોડેલ ઇ- ગ્રામ પંચાયત અને પુસ્તકાલયનું લોકાર્પણ

મંત્રીના હસ્તે ગામમાં અંદાજે એક લાખ રૂપિયાના ખર્ચે મનરેગા હેઠળ તૈયાર થયેલ પુસ્તકાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્કાલય થકી ગ્રામજનોને વિવિધ પુસ્તકોનું વાંચન અને અખબારોનું વાંચન કરી શકશે.

Gandhinagar : ગ્રામ વિકાસ મંત્રી કલોલના આદર્શ ગામ બિલેશ્વપુરાની મુલાકાતે, મોડેલ ઇ- ગ્રામ પંચાયત અને પુસ્તકાલયનું લોકાર્પણ
Gandhinagar: Minister for Rural Development inaugurates Model e-Gram Panchayat and Library in Bileshwapura village
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 14, 2022 | 7:00 PM
Share

ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના કલોલ તાલુકાના સાંસદ આદર્શ ગામ બિલેશ્વરપુરાની (Bileshwarpura)આજરોજ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી (Minister for Rural Development and Rural Housing)અર્જુનસિંહ ચૌહાણે (Arjun Singh Chauhan)મુલાકાત લીધી હતી. બિલેશ્વપુરા ગામના ઇ- ગ્રામ સેવામાં છેલ્લા ચાર વર્ષથી જિલ્લા સ્તરે પ્રથમ આવતા રોકડ પુરસ્કાર મળેલ છે. આ શ્રેષ્ઠ કામગીરી બદલ ઇ- ગ્રામ પંચાયતને આર.ઓ.મશીન, બેટરી બેકઅપ, જમ્બો પ્રિન્ટર, લેમીનેશન મશીન અને અરજદારો માટે બેઠક વ્યવસ્થા કરી આપીને મોડેલ ઇ-ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે. અર્જુનસિંહ ચૌહાણના હસ્તે મોડલ ઇ- ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રીના હસ્તે ગામમાં અંદાજે એક લાખ રૂપિયાના ખર્ચે મનરેગા હેઠળ તૈયાર થયેલ પુસ્તકાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્કાલય થકી ગ્રામજનોને વિવિધ પુસ્તકોનું વાંચન અને અખબારોનું વાંચન કરી શકશે. મંત્રીએ ગ્રામ પંચાયત અને એન.જી.ઓ. થકી તૈયાર કરવામાં આવેલા મોડેલ નંદધરની પણ મુલાકાત લીધી હતી. આ નંદઘરમાં જે નવીન સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. તેની માહિતી પણ મેળવી હતી. તેમજ નંદઘરનું બારીકાઇથી નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે ગામમાં તૈયાર કરવામાં આવેલા ધ્યાનકર્ષિત ચબુતરાની પણ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્યાન તેમની સાથે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દેવાંગી દેસાઇ, કલોલ પ્રાંત અધિકારી કિષ્ના વાઘેલા, કલોલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરમાં 22મી ફેબ્રુઆરીએ અને દહેગામ ખાતે 24 ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર, ગાંધીનગર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબફેર તા. 22મી ફેબ્રુઆરી, 2022 ના રોજ ગાંધીનગર ખાતે અને તા. 24મી ફેબ્રુઆરી, 2022ના રોજ દહેગામ ખાતે યોજાશે.જેમાં તા. 22મી ફેબ્રુઆરી, 2022 ના રોજ ગાંધીનગર ખાતે બલરામ મંદિર પરિસર, શ્રી ઉમિયામાતાજી મંદિર પાસે, કલેકટર કચેરી સામે, સેકટર- 12, ગાંધીનગર ખાતે સવારના 11.00 કલાકે યોજાશે. તેમજ તા. 24મી ફેબ્રુઆરી, 2022ના રોજ દહેગામ ખાતે એમ.બી.કોલેજ ઓફ કોમર્સ એન્ડ જીએમએન આર્ટસ કોલેજ,નહેરુ ચોકડી પાસે, ખાતે સવારના 11.00 કલાકે યોજાશે.

આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ ગુગલ લીંક ફોર્મમાં પોતાનું રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ઉમેદવારો પોતાનું રજિસ્ટ્રેશન https://forms.gle/R7eVqBaV1ex8jc416 લીંક પર કરવાનું રહેશે.

આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએશન, આઈ.ટી.આઈની લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના બાયોડેટાની પાંચ નકલ સાથે હાજર રહેવાનું રહેશે.. જિલ્લા રોજગાર અધિકારી આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat : ન. પ્રા. શિક્ષણ સમિતિના સભ્યોને, કોર્પોરેટરોની જેમ 12 લાખના ખર્ચે કરાશે લેપટોપની લ્હાણી

આ પણ વાંચો : સૌથી મોટા ફ્રોડ અંગે સરકારનું નિવેદનઃ ABG Shipyard કૌભાંડ અગાઉની સરકારની દેન, યુપીએના શાસનમાં જ એનપીએ થઈ ગયું હતું એકાઉન્ટ

વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
g clip-path="url(#clip0_868_265)">