Gandhinagar : ગ્રામ વિકાસ મંત્રી કલોલના આદર્શ ગામ બિલેશ્વપુરાની મુલાકાતે, મોડેલ ઇ- ગ્રામ પંચાયત અને પુસ્તકાલયનું લોકાર્પણ

મંત્રીના હસ્તે ગામમાં અંદાજે એક લાખ રૂપિયાના ખર્ચે મનરેગા હેઠળ તૈયાર થયેલ પુસ્તકાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્કાલય થકી ગ્રામજનોને વિવિધ પુસ્તકોનું વાંચન અને અખબારોનું વાંચન કરી શકશે.

Gandhinagar : ગ્રામ વિકાસ મંત્રી કલોલના આદર્શ ગામ બિલેશ્વપુરાની મુલાકાતે, મોડેલ ઇ- ગ્રામ પંચાયત અને પુસ્તકાલયનું લોકાર્પણ
Gandhinagar: Minister for Rural Development inaugurates Model e-Gram Panchayat and Library in Bileshwapura village
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 14, 2022 | 7:00 PM

ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના કલોલ તાલુકાના સાંસદ આદર્શ ગામ બિલેશ્વરપુરાની (Bileshwarpura)આજરોજ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી (Minister for Rural Development and Rural Housing)અર્જુનસિંહ ચૌહાણે (Arjun Singh Chauhan)મુલાકાત લીધી હતી. બિલેશ્વપુરા ગામના ઇ- ગ્રામ સેવામાં છેલ્લા ચાર વર્ષથી જિલ્લા સ્તરે પ્રથમ આવતા રોકડ પુરસ્કાર મળેલ છે. આ શ્રેષ્ઠ કામગીરી બદલ ઇ- ગ્રામ પંચાયતને આર.ઓ.મશીન, બેટરી બેકઅપ, જમ્બો પ્રિન્ટર, લેમીનેશન મશીન અને અરજદારો માટે બેઠક વ્યવસ્થા કરી આપીને મોડેલ ઇ-ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે. અર્જુનસિંહ ચૌહાણના હસ્તે મોડલ ઇ- ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રીના હસ્તે ગામમાં અંદાજે એક લાખ રૂપિયાના ખર્ચે મનરેગા હેઠળ તૈયાર થયેલ પુસ્તકાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્કાલય થકી ગ્રામજનોને વિવિધ પુસ્તકોનું વાંચન અને અખબારોનું વાંચન કરી શકશે. મંત્રીએ ગ્રામ પંચાયત અને એન.જી.ઓ. થકી તૈયાર કરવામાં આવેલા મોડેલ નંદધરની પણ મુલાકાત લીધી હતી. આ નંદઘરમાં જે નવીન સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. તેની માહિતી પણ મેળવી હતી. તેમજ નંદઘરનું બારીકાઇથી નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે ગામમાં તૈયાર કરવામાં આવેલા ધ્યાનકર્ષિત ચબુતરાની પણ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્યાન તેમની સાથે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દેવાંગી દેસાઇ, કલોલ પ્રાંત અધિકારી કિષ્ના વાઘેલા, કલોલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગાંધીનગરમાં 22મી ફેબ્રુઆરીએ અને દહેગામ ખાતે 24 ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર, ગાંધીનગર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબફેર તા. 22મી ફેબ્રુઆરી, 2022 ના રોજ ગાંધીનગર ખાતે અને તા. 24મી ફેબ્રુઆરી, 2022ના રોજ દહેગામ ખાતે યોજાશે.જેમાં તા. 22મી ફેબ્રુઆરી, 2022 ના રોજ ગાંધીનગર ખાતે બલરામ મંદિર પરિસર, શ્રી ઉમિયામાતાજી મંદિર પાસે, કલેકટર કચેરી સામે, સેકટર- 12, ગાંધીનગર ખાતે સવારના 11.00 કલાકે યોજાશે. તેમજ તા. 24મી ફેબ્રુઆરી, 2022ના રોજ દહેગામ ખાતે એમ.બી.કોલેજ ઓફ કોમર્સ એન્ડ જીએમએન આર્ટસ કોલેજ,નહેરુ ચોકડી પાસે, ખાતે સવારના 11.00 કલાકે યોજાશે.

આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ ગુગલ લીંક ફોર્મમાં પોતાનું રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ઉમેદવારો પોતાનું રજિસ્ટ્રેશન https://forms.gle/R7eVqBaV1ex8jc416 લીંક પર કરવાનું રહેશે.

આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએશન, આઈ.ટી.આઈની લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના બાયોડેટાની પાંચ નકલ સાથે હાજર રહેવાનું રહેશે.. જિલ્લા રોજગાર અધિકારી આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat : ન. પ્રા. શિક્ષણ સમિતિના સભ્યોને, કોર્પોરેટરોની જેમ 12 લાખના ખર્ચે કરાશે લેપટોપની લ્હાણી

આ પણ વાંચો : સૌથી મોટા ફ્રોડ અંગે સરકારનું નિવેદનઃ ABG Shipyard કૌભાંડ અગાઉની સરકારની દેન, યુપીએના શાસનમાં જ એનપીએ થઈ ગયું હતું એકાઉન્ટ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">