Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે સિંચાઇથી વંચિત નળકાંઠાના 11 ગામનો નર્મદાના પિયત વિસ્તારમાં સમાવેશ કર્યો
ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel)ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ કર્યો. સિંચાઈથી (Irrigation) વંચિત નળકાંઠાના 11 'નો સોર્સ વિલેજ' ગામનો હવે નર્મદા યોજનાના(Narmada) પિયત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે
ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel)ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ કર્યો. સિંચાઈથી (Irrigation) વંચિત નળકાંઠાના 11 ‘નો સોર્સ વિલેજ’ ગામનો હવે નર્મદા યોજનાના(Narmada) પિયત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે હવે નળકાંઠાના 1700 ખેડૂતોની 9 હજાર 400 હેક્ટર જેટલી જમીનને સિંચાઇ માટે નર્મદાનું પાણી મળતું થશે. નળકાંઠાના ૩ર જેટલા‘નો સોર્સ વિલેજ’માં સિંચાઇ માટેના પાણીની સમસ્યા હતી. તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ પિયત વિસ્તારના 111 ગામોને નર્મદા યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો, તેમાં 21 ‘નો સોર્સ વિલેજ’ પણ સામેલ હતા. ત્યારે આજે બાકી રહેતા 11 ગામનો પણ નર્મદા યોજના હેઠળ સમાવેશ થતા સિંચાઇના પાણી માટેની સમસ્યાનું નિવારણ આવ્યું છે.
ગુરુવારે રાજ્યના 111 ગામોના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તે માટેકૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ખેડૂતોની લાંબા સમયની રજૂઆત પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી, જેની આ ફલશ્રુતિ છે. આ ઉપરાંત ગુરુવારે રાજ્યના 111 ગામોના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તે માટેકૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે 35 હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો. એટલું જ નહીં,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી.
111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સમાવી લેવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે. જેમાં ભૂપેન્દ્ર પટેલના આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે 111 ગામોના 6 હજારથી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.