AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : સહકાર પ્રધાન જગદિશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય અને ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની મળી બેઠક, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ બાબતે થઈ ચર્ચા

Gandhinagar: સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી તથા પ્રોટોકોલને લગતી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી જગદિશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંસદસભ્યો અને ધારાસભ્યોની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા સહકાર, પ્રોટોકલ, છાપકામ, મીઠા ઉદ્યોગ અને લેખન સમાગ્રીને લગતી બાબતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.

Gandhinagar : સહકાર પ્રધાન જગદિશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય અને ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની મળી બેઠક, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ બાબતે થઈ ચર્ચા
Kinjal Mishra
| Edited By: | Updated on: May 23, 2023 | 8:26 PM
Share

સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી તથા પ્રોટોકોલને લગતી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સહકાર, પ્રોટોકલ, છાપકામ અને લેખન સામગ્રી તથા મીઠા ઉદ્યોગ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં સંબંધિત વિભાગની કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી, જેના અનુસંધાને દ્વિપક્ષીય હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ તકે મંત્રી વિશ્વકર્માએ જણાવ્યુ કે પીએમ મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે. ગુજરાતના વિકાસને વેગવંતો બનાવવા સ્થાયી પરામર્શ સમિતિ જેવી બેઠકોનું યોગદાન ઘણુ મહત્વપૂર્ણ છે. જનતા જનાર્દનના પ્રાણ પ્રશ્નો ધારાસભ્યો રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે. તેના આધારે જ રાજ્ય સરકાર તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવી શકે છે. આથી આ બેઠકમાં સૂચનો કરવા બદલ મંત્રીએ તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો.

પરામર્શ સમિતિના સભ્ય સંસદ સભ્ય ધારાસભ્ય દ્વારા સંબંધિત વિભાગવાર જૂદી જૂદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમા સહકારી મંડળીઓના અદ્યતન ડેટાબેઝ પોર્ટલ પર રજીસ્ટર કરવા, સરકારી યોજનાઓના ફોર્મ નાગરિકોને સુલભ થાય તેવી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, સરકાર માન્ય નાણાં ધીરનાર દ્વારા ડિફોલ્ટના કિસ્સામાં દંડની રકમની મર્યાદા નક્કી કરવા, મીઠા ઉદ્યોગને પ્રોત્સાહન માટે પાકા રસ્તાઓનું રણ વિસ્તાર સુધી એક્સ્ટેન્શન કરવા, મીઠા ઉદ્યોગ અને ઘુડખર અભયારણ્ય વચ્ચે તાદાત્મય જળવાઈ રહે તે રીતે વન વિભાગ સાથે સંકલન કરવા સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા-રજૂઆતો કરવામાં આવી હતી. સંસદ સભ્ય રામ મોકરીયા દ્વારા પર્યાવરણના જતન માટે સહકારી ગોડાઉનના કેમ્પસમાં વૃક્ષોના વાવેતર-ઉછેર અંગે સૂચનો કરવામાં આવ્યાં હતા.

સંસદસભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં આમંત્રિત સભ્ય તરીકે સંસદસભ્ય રામભાઈ મોકરીયા અને રતનસિંહ રાઠોડ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, દસાડાના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, સુરત(પૂર્વ)ના ધારાસભ્ય અરવિંદ રાણા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સહિતના ધારાસભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની વિવિધ રજૂઆતો અન્વયે વિચાર-વિમર્શ કર્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામોને આપી મંજૂરી

આ બેઠકમાં કુટિર અને ગ્રામોદ્યોગના સચિવ પી. કે. સોલંકી, સહકાર સચિવ કે. એમ. ભીમજીયાણી, પ્રોટોકોલના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી, લેખન અને છાપકામના નાયબ સચિવ ભાવિતા રાઠોડ અને નિયામક વી. એમ. રાઠોડ, સહકાર ખાતાના રજીસ્ટ્રાર ડી. એ. શાહ, મીઠા ઉદ્યોગના નાયબ સચિવ જે. બી. પટેલ અને ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીયલ કમિશનર એસ. બી પારેજીયા, તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">