AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: રાજ્યના 542 ગામનો 67 હજાર એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો, ખેડૂતોને મળશે સિંચાઈ સહિતના લાભ

ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે રાજ્યમાં વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતાં આ જળ સંપત્તિના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 82ટકાનો વધારો કર્યો છે જેથી છેવાડાના ખેડૂતને સિંચાઇનો મહત્તમ લાભ મળી રહેશે.

Gandhinagar: રાજ્યના 542 ગામનો 67 હજાર એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો, ખેડૂતોને મળશે સિંચાઈ સહિતના લાભ
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 26, 2023 | 8:24 PM
Share

રાજ્યના 20 જિલ્લાના વધુ 105 તાલુકાના અંદાજે 542 ગામોના 67,015 એકર વિસ્તારમાં અંદાજિત 45,050 ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ખેતી માટે સિંચાઇ સહિત અન્ય લાભ આપવામાં આવ્યા છે.  કુંવરજી બાવળિયાએ ગુજરાતમાં કાર્યરત કામોની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ કુલ રૂ.9,705 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. હાલ 100 દિવસના લક્ષ્યાંક અંતર્ગત રૂ. 3,306 કરોડના 242 કામો મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે.

પ્રથમ તબક્કામાં નક્કી કરાયેલા 20 જિલ્લાઓમાં169 માંથી 130 કામ પૂર્ણ કરાયા

જળ સંપત્તિ મંત્રી  કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે જળ સંપત્તિ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં નક્કી કરાયેલા 20 જિલ્લાઓમાં169 માંથી 130 કામો પૂર્ણ કરાયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, જામનગર, રાજકોટ, કચ્છ અને વડોદરાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Gujarati Video: અમરેલીના ધારીમાં કરા સાથે વરસાદ ખાબક્યો, જુઓ Video

કુંવરજી બાવળિયાએ ગુજરાતમાં કાર્યરત કામોની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ કુલ રૂ.9,705 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. હાલ 100 દિવસના લક્ષ્યાંક અંતર્ગત રૂ. 3,306 કરોડના 242 કામો મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે. આ કામ પૂર્ણ થવાથી રાજ્યના 31 જિલ્લાના વધુ 110 તાલુકાના અંદાજિત 356 ગામનો 1,34,250 એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લઇને અંદાજિત 69,747 ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સિંચાઇ સહિત અન્ય લાભ મળશે.

આ જિલ્લાઓમાં અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, મહિસાગર, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, સુરત, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, છોટા ઉદેપુર, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે.

સિંચાઇ વિસ્તારમાં વધારા સાથે ભૂગર્ભ જળની ગુણવતા વધશે અને સ્તર ઊંચા આવશે

જળ સંપત્તિ મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ખેડૂતોને સિંચાઇનો લાભ મળી રહે તે માટે નાના-મોટા ચેકડેમ, રિચાર્જ પાતાળ કૂવા, બંધારા,નાની-મોટી ઉદવહન યોજના, દરિયાઈ ધોવાણ અને પુર સંરક્ષણના કામો, કેનાલ અને કેનાલ સ્ટ્રક્ચર તથા અન્ય મરામતના કામો, હયાત ઉદવહન સિંચાઇ યોજનામાં પાઇપલાઇન વડે ગામ-સીમ વગેરેના તળાવો ભરવા જેવા કામો કરવામાં આવ્યા છે.

સિંચાઇ વિભાગ દ્વારા કરાયેલા કામોથી ખેડૂતોને સિંચાઇ માટે થતા ફાયદા અંગે કહ્યું હતું કે, સિંચાઇ વિસ્તારમાં વધારો,સુદ્દઢીકરણ, ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો-સ્તર ઊંચા આવશે, દરીયાઇ વિસ્તારના પ્રદેશોમાં ખારાશમાં ધટાડો થશે, નહેરમાંથી થતા સીપેજ તથા લીકેજ બંધ થશે અને પાણીનો બગાડ અટકશે. આ ઉપરાંત પાણીનો બગાડ અટકવાથી પાણીની બચત થશે, છેવાડાના ખેડૂતોને સિંચાઇ માટેનું વધુ પાણી મળશે, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારા થવાથી ખેડુતોનું જીવન સ્તર ઉંચુ આવશે જ્યારે પાણી વિતરણ વ્યવસ્થા સરળ અને સુદ્રઢ બનશે

ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે રાજ્યમાં વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતાં આ જળ સંપત્તિના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 82ટકાનો વધારો કર્યો છે જેથી છેવાડાના ખેડૂતને સિંચાઇનો મહત્તમ લાભ મળી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">