સરકારના નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ પ્રખ્યાત ગાયકો ચાર ચાંદ લગાવશે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે પ્રારંભ

પ્રથમ નોરતાના દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભદ્રકાળી મંદિર, લાલ દરવાજા, અમદાવાદ ખાતે માતાજીની મહાઆરતીથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવશે.

સરકારના નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ પ્રખ્યાત ગાયકો ચાર ચાંદ લગાવશે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે પ્રારંભ
Famous singers will sing songs for nine days in Gujarat Government's Navratri Festival 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 11:08 PM

GANDHINAGAR : વિક્રમ સંવત-2077 ને આસો સુદ એકમ તા.7-10-2021 ને ગુરૂવારથી શરૂ થતા નવરાત્રી મહોત્સવ એટલે અધર્મ પર ધર્મનો વિજયનું પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. આવા પાવન પ્રસંગે પ્રવાસન વિભાગ દ્વારા રાજયમાં આવેલ આસ્થાના પ્રતીક સમાન માતાજીઓના વિવિધ મંદિરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાત રાજયના પ્રખ્યાત લોક કલાકારો અને લોક ગાયકો દ્વારા રાજયના વિવિધ અને પ્રચલિત મંદિરોના પટાંગણમાં નવરાત્રીની પારંપરિક ઉજવણી રાજયની કોવિડ ગાઇડલાઇનને અનુસરીને કરવાનું નિર્ધારેલ છે.આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરેલ છે.

નોરતું-1 પ્રથમ નોરતાના દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભદ્રકાળી મંદિર, લાલ દરવાજા, અમદાવાદ ખાતે માતાજીની મહાઆરતીથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવશે.લોક કલાકાર સ ઐશ્વર્યા મજમુદાર સુરીલા કંઠે માતાજીની આરાધના કરાવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નોરતું-2 બીજા નોરતાના દિવસે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં શ્રી ઉમિયા માતા મંદિર, ઉંઝા ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર આદિત્ય ગઢવી તથા અરવિંદ વેગડા ગીતો ગાશે.

નોરતું-3 અને 4 ત્રીજા અને ચોથા નોરતાના દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં શ્રી માતાનો મઢ, કચ્છ ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર સુ.શ્રી ગીતાબેન રબારી ગીતો ગાશે.

નોરતું-5 પાંચમા નોરતાના દિવસે રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન કીરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં શ્રી ચામુંડા માતા મંદિર, ચોટીલા ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર શ્યામલ શૌમિલ તથા આરતી મુન્શી ગીતો ગાશે.

નોરતું-6 છઠ્ઠા નોરતાના દિવસે રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન આર.સી.મકવાણા ની ઉપસ્થિતિમાં શ્રી ખોડીયાર માતા મંદિર, રાજપરા, ભાવનગર ખાતે નવરાત્રી મહોત્સવ.માં લોક કલાકાર ફરીદા મીર અને દેવાંગ પટેલ ગીતો ગાશે.

નોરતું-7 સાતમા નોરતાના દિવસે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભા પટેલની ઉપસ્થિતિમાં શ્રી ઉનાઇ માતા મંદિર, નવસારી ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર ઉમેશ બારોટ અને ઉર્વશી રાદડીયા ગીતો ગાશે.

નોરતું-8 આઠમા નોરતાના દિવસે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર ઓસ્માણ મીર અને ડીમ્પલ પંચોલી ગીતો ગાશે.

નોરતું-9 નવમા નોરતના દિવસે રાજ્યના શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં અંબાજી માતા મંદિર, અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર પાર્થ ઓઝા અને સંજય ઓઝા ગીતો ગાશે.

અહીં ઉજવાશે દશેરા મહોત્સવ આ પ્રસંગે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે,ઉત્સવો અને તહેવારો તો સનાતન હિન્દુ સંસ્કૃતિનો પ્રાણ છે. આ તત્વને ચરીતાર્થ કરનારા નવરાત્રીના નવ દિવસ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. આસો સુદ દશમના દિવસે રાવણ સામે ભગવાન શ્રીરામનો વિજય, અધર્મ અને આસુરી શક્તિના પ્રતિક રાવણ ઉપર ધર્મ અને સંસ્કૃતિના પરમ રક્ષક ભગવાન શ્રીરામના વિજયની સ્મૃતિમાં સમગ્ર ભારત વર્ષમાં દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

સમગ્ર ભારત વર્ષ માટે ગૌરવાન્વીત એવા સાંસ્કૃતિક અને ઐતિહાસિક “દશેરા મહોત્સવ”ની ઉજવણીનું આયોજન રાજયમાં પ્રથમ વખત એવા સ્થળે કે જ્યાં સબરી માતાએ દિર્ઘકાળ સુધી ભક્તિ અને પ્રભુની કરેલ પ્રતિક્ષાના ફળ સ્વરૂપે ભગવાન શ્રીરામ દ્વારા સબરી માતાને દર્શન આપીને તેમને મુક્તિ આપી હતી તે સ્થળે સબરી માતાને થયેલ ભગવાન શ્રીરામના સાક્ષાત્કાર સ્થળનું જનમાનસમાં ચિરકાળ સુધી સ્મરણ રહે તેવા ઉમદા ઉદ્દેશથી ડાંગ જીલ્લાના સુબિર ગામે આવેલા સબરીધામ ખાતે દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">