Diwali Celebration : અક્ષરધામ ગાંધીનગર ખાતે ઉજવાશે દીવડાઓનો અલૌકિક ઉત્સવ, નીલકંઠવર્ણીની પંચધાતુની મૂર્તિ બનશે આકર્ષણનું કેન્દ્ર

દીપાવલી એટલે અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કરવાનો અલૌકિક ઉત્સવ. સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત 32 વર્ષથી પરંપરાગત શૈલીથી 10,000 દીવડાઓ પ્રગટાવી મનાવે છે. સાથે અક્ષરધામના પરિસરમાં નવું દર્શનીય સોપાન ઊમેરાયું છે. જેમાં 49 ફૂટ ઊંચી નીલકંઠવર્ણીની પંચધાતુની મૂર્તિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

Diwali Celebration : અક્ષરધામ ગાંધીનગર ખાતે ઉજવાશે દીવડાઓનો અલૌકિક ઉત્સવ, નીલકંઠવર્ણીની પંચધાતુની મૂર્તિ બનશે આકર્ષણનું કેન્દ્ર
Follow Us:
| Updated on: Oct 27, 2024 | 8:57 PM

અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર, સંયમ, સત્ય, દયા, અહિંસા, અસ્તેય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા અગણિત દીવડાઓ પ્રગટાવી જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપી રહ્યું છે.

આ વર્ષે પણ દીપાવલીના આ પર્વે દર્શનાર્થીઓ ગુરૂવાર, તા. 31-10-2024 થી શુક્રવાર, તા. 08-11-2024 સુધી દરરોજ સાંજે 6:00 થી 7:45 દરમિયાન નયનરમ્ય દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી આલોકિત અક્ષરધામ દર્શનનો આસ્વાદ માણી શકશે.

નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના

સોમવાર, તા. 04-11-2024 ના રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે. આ સાથે આપને જણાવતાં આનંદ થાય છે કે, મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામના આ પરિસરમાં એક નવું દર્શનીય સોપાન ઉમેરાઈ રહ્યું છે. એ છે નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના. ભગવાન સ્વામિનારાયણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને માનસરોવરથી લઈને કન્યાકુમારી સુધી અને આસામથી લઈને ગુજરાત સુધીની પદયાત્રા-તીર્થયાત્રા કરી હતી.

પોસ્ટ ઓફિસમાં 2 લાખ રૂપિયાની FD પર કેટલું વ્યાજ મળશે? અહીંની સમજો ગણતરી
કોઈ પણ દવા વગર 1 કલાકમાં તાવ થઈ જશે ગાયબ, જુઓ Video
રેડ સાડીમાં સ્ટાઈલિશ લાગી રહી છે નતાશા સ્ટેનકોવિક, જુઓ ફોટો
ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસને ખાવાથી જાણો શું થાય છે?
અંબાણી પરિવાર દિવાળી કેવી રીતે ઉજવે છે? જાણો
મનુ ભાકરની એક પોસ્ટથી ફરી છેડાયો વિવાદ, થઈ ટ્રોલ

નિત્ય સવારે પ્રાતઃપૂજામાં એક પગે ઊભા રહીને કરતાં નામજપ

12,000 કિલોમીટર અને 7 વર્ષની તેઓની આ વિરલ પદયાત્રા દરમ્યાન તેઓ નીલકંઠવર્ણી તરીકે સૌના આદરણીય બન્યા હતા. ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણી તરીકે માનસરોવરમાં તેમજ નેપાળના હિમાલયમાં મુક્તિનાથ તીર્થમાં એક પગે ઊભા રહીને લોકકલ્યાણ માટે તપસ્યા કરી હતી. એમની એ તપોમુદ્રાની સ્મૃતિ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય લાખો ભક્તો 200 વર્ષોથી આજે પણ નિત્ય સવારે પ્રાતઃપૂજામાં એક પગે ઊભા રહીને બે હાથ ઊંચા કરીને નામજપ કરે છે.

એટલે જ, ભગવાન સ્વામિનારાયણની એ તપોમૂર્તિને અંજલિ અર્પવા માટે અને આવનારી અનેક પેઢીઓને તપ, જપ તથા સંયમની પ્રેરણા આપવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ નીલકંઠવર્ણીની તપોમૂર્તિની વિધિવત્ સ્થાપના કરવામાં આવશે. તારીખ. 11 નવેમ્બર 2024ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના કરકમલો દ્વારા વૈદિક યજ્ઞવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.

છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી રહેલું પંચધાતુની આ ભવ્ય મૂર્તિનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ બિરાજમાન રહ્યા હતા. તેની સ્મૃતિમાં આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ રાખવામાં આવી છે. અક્ષરધામ પરિસરમાં જ્યાં નીલકંઠવર્ણીની મૂર્તિ બિરાજમાન થઈ છે ત્યાં મનને શાંતિ અને પવિત્ર પ્રેરણાઓથી ભરી દે તેવી સુંદર નીલકંઠવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દીપાવલી પર્વે અક્ષરધામ પરિસરમાં હજારો દીવડા પ્રગટશે અને તેનો સુંદર નજારો માણવા હજારો લોકો ઊમટશે ત્યારે સાથે સાથે નીલકંઠવર્ણીની આ ભવ્ય મૂર્તિ અને શ્રી નીલકંઠવાટિકાના સુંદર દૃશ્યને પણ માણી શકશે.

સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
g clip-path="url(#clip0_868_265)">