AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્ણાટકમાં ‘નંદિની VS અમૂલ’ની લડાઈ પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ, અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) કહ્યું કે, “મારા મતે અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. તમારે જે કરવું હોય તે કરો. જો અમૂલ કંઈક છીનવી રહ્યું છે, તો તે વિરોધની બાબત છે."

કર્ણાટકમાં 'નંદિની VS અમૂલ'ની લડાઈ પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ, અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 3:36 PM
Share

કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણી પહેલા કર્ણાટકમાં નંદિની વર્સિસ અમૂલનો વિવાદ છેડાયો હતો. ત્યારે કર્ણાટકમાં ‘નંદિની વિરુદ્ધ અમૂલ’ની લડાઈ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે નિવેદન આપ્યુ હતુ કહ્યું કે કર્ણાટકમાં અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. બે ડેરી પ્રોડક્ટ કંપનીઓ નંદિની અને અમૂલ વચ્ચેનો વિવાદ તાજેતરમાં શરૂ થયો છે. જ્યારે અમૂલે જાહેરાત કરી કે તે બેંગલુરુમાં તેના દૂધના ઉત્પાદનો સપ્લાય કરશે.

આ પણ વાંચો-Mehsana : રાધનપુર સર્કલ પર ચારે બાજુ ટ્રાફિક જામ, ખાનગી વાહનોના અડિંગાથી રાહદારીની વધી હાલાકી, જુઓ Video

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “મારા મતે અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. તમારે જે કરવું હોય તે કરો. જો અમૂલ કંઈક છીનવી રહ્યું છે, તો તે વિરોધની બાબત છે.” કર્ણાટકમાં વિપક્ષ કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) એ આરોપ લગાવ્યો છે કે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) દક્ષિણના રાજ્યમાં અમૂલને મંજૂરી આપીને નંદિનીને મદદ કરી રહી છે અને તેને સમાપ્ત કરવા માંગે છે.

કર્ણાટકમાં વિપક્ષ કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)એ આરોપ લગાવ્યો છે કે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) દક્ષિણના રાજ્યમાં અમૂલને મંજૂરી આપીને નંદિનીને ખતમ કરવા માગે છે. જો કે કર્ણાટકમાં બસવરાજ બોમાઈના નેતૃત્વવાળી ભાજપ સરકારે આ આરોપને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે અમૂલ તરફથી નંદિનીને કોઈ ખતરો નથી.

આ સાથે મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, ‘પાણી લોકો અને વ્યવસાયિક પ્રવૃતિઓ માટે સમાન રીતે મહત્વપૂર્ણ છે. આપણે જોવાનુ છે કે આપણે બીજુ શું કરી શકીએ.’ તેમણે એમ પણ કહ્યુ કે ગુજરાત કુદરતી ખેતી તરફ આગળ વધી રહ્યુ છે. કુદરતી ખેતીને આગળનો માર્ગ ગણાવતા તેમણે કહ્યુ કે વિરોધ પક્ષો ભલે ખેતીને લઈને સવાલો ઉઠાવી રહ્યા હોય પરંતુ કોઈ ખેડૂતને કોઈ ફરિયાદ નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
g clip-path="url(#clip0_868_265)">