AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસનું તેડુ, ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવુ પડશે, પોલીસને હાથ લાગ્યા આર્થિક વ્યહવારના પુરાવા !

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આવતીકાલે સાંજ સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે.

Breaking News: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસનું તેડુ, ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવુ પડશે, પોલીસને હાથ લાગ્યા આર્થિક વ્યહવારના પુરાવા !
Breaking News: Yuvraj Sinh has to appear before the Bhavnagar Police in the case of the dummy paper scam
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 18, 2023 | 9:12 PM
Share

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આવતીકાલે સાંજ સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે અને આ અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જશે. જણાવવું રહ્યું કે ડમી કાંડ મુદ્દે હવે તપાસના ઘેરામાં યુવરાજસિંહ આવ્યા છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ભાવનગર દ્વારા પાઠવવામાં આવેલા સમન્સમાં 11 જેટલી IPCની કલમ લગાડવામા આવી છે અને આવતીકાલ એટલે કે 19 એપ્રીલ 2023ના રોજ જ ભાવનગર પોલીસ મથકે હાજર રહેવા માટેનું ફરમાન જારી કરવામાં આવ્યું છે.

યુવરાજ સિંહ સામે થયેલા આક્ષેપો બાદ પોલીસે હાજર થવાનું ફરમાન કર્યુ છે. ડમીકાંડ કેસમાં યુવરાજ સિંહ સામે વિગતો છુપાવવાના તેમજ વિગત ના આપવા સામે આર્થિક વ્યવહાર થયા હોવાના પોલીસ પાસે પુરાવા આવ્યા બાદ પોલીસે સમન્સ પાઠવ્યું છે અને હવે આ મુદ્દે ઘણા ખુલાસા સામે આવી શકવાનું લાગી રહ્યું છે. ભાવનગર પોલીસે ઈશ્યુ કરેલા સમન્સની કોપી ટીવી 9 પાસે આવી ગઈ છે.

અગાઉ યુવરાજે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું

ભાવનગર ભરતી પરીક્ષામાં ડમીકાંડના પડઘા છેક ગાંધીનગર ગૃહવિભાગ સુધી પડ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તો બીજી તરફ યુવરાજસિંહે તેમના પર લાગેલા આરોપોનુ ખંડન કરતા સરકાર પર વળતા પ્રહાર કર્યા છે. યુવરાજનો આરોપ છે કે ડમીકાંડમાં 70થી વધુ આરોપીઓની સંડોવણી છે, છતાં કેમ માત્ર 36 આરોપીઓ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધવામાં આવી અને અન્ય આરોપીઓની કેમ હજુ ધરપકડ નથી કરવામાં આવી.

યુવરાજસિંહે ડમી ઉમેદવારોના નામ GPSSBના પ્રમુખ હસમુખ પટેલને આપ્યા હોવાનો ખૂલાસો

તો ડમીકાંડમાં વધુ એક નવો ખૂલાસો થયો છે. યુવરાજસિંહે અગાઉ હસમુખ પટેલને ડમી ઉમેદવારના નામ આપ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ડમી ઉમેદવારો ન બેસે તે માટે યુવરાજસિંહે નામ આપ્યા હતા. ગેરરીતિ કરી ચુકેલા અને ડમી ઉમેદવારોના નામ હસમુખ પટેલને મોકલ્યા હતા.

યુવરાજે ડમીકાંડમાં નામ ન જાહેર કરવા માટે 55 લાખ માગ્યા હોવાનો આરોપ

યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂપિયા 55 લાખ લીધા હતા. આ આરોપ લગાવનારા કોઈ વિરોધીઓ ન હતા. આ આરોપ લગાવ્યો હતો યુવરાજસિંહના જ નજીકના ગણાતા બિપિન ત્રિવેદીએ. બિપિન ત્રિવેદી કે જેઓ 2018થી યુવરાજસિંહના સંપર્કમાં છે. બંને મિત્રો જેવા છે અને વિદ્યાર્થી હિતના કાર્યો કરતાં રહે છે. આ જ બિપિન ત્રિવેદીનો એવો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ડમીકાંડમાં નામ ન લેવા માટે કોઈ ઘનશ્યામ નામના વ્યક્તિ મારફતે ત્રણ તબક્કામાં 55 લાખ ચુકવાયા હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">