AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આવતીકાલે શાળાઓમાં મોહર્રમની જાહેર રજા રદ, શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગનો આદેશ

Gandhinagar: આવતીકાલે શાળાઓમાં જાહેર કરાયેલી મોહર્રમની રજા રદ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ રાજ્ય શિક્ષણવિભાગે પરિપત્ર કરી શાળાઓ ચાલુ રાખવા રાજ્યની તમામ શાળાઓને આદેશ કર્યો છે.

Breaking News: આવતીકાલે શાળાઓમાં મોહર્રમની જાહેર રજા રદ, શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગનો આદેશ
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 29, 2023 | 5:18 PM
Share

Gandhinagar: આવતીકાલે રાજ્યની શાળાઓમાં જાહેર કરાયેલી મોહર્રમની રજા રદ કરવાનો આદેશ કરાયો છે. અગાઉ શાળાઓમાં મોહર્રમની  રજા જાહેર કરાઈ હતી. જો કે કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ રાજ્ય શિક્ષણવિભાગે પરિપત્ર જાહેર કરી રાજ્યની તમામ શાળાઓ ચાલુ રાખવા આદેશ કર્યો છે. નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદી અખીલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્દઘાટન કરવાના છે. સવારના 9થી12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના પગલે અગાઉથી જાહેર કરાયેલી મોહર્રમની રજા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

‘અખીલ ભારતીય શિક્ષા સમાગમ’ કાર્યક્રમનું આયોજન

રાજ્યમાં 29 અને 30 જૂલાઈ 2023ના રાષ્ટ્રીય શિક્ષા નીતિને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોવાથી ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક્તા મંત્રાલયના સહયોગ થકી ‘અખીલ ભારતીય શિક્ષા સમાગમ’નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમના રાષ્ટ્રીય મહત્વને ધ્યાને લઈ દેશભરમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યુ છે.

29 અને 30 જૂલાઈ દરમિયાન કુલ 16 વિષયલક્ષી સેશન યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી India Trade Promotion Organization (ITPO) નવી દિલ્હી ખાતે અખીલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. આ ઉદ્દઘાટન  બાદ શાળા શિક્ષણના 04 સેશન સહિત કુલ 16 વિષયલક્ષી સેશન 29 અને 30 જુલાઈ દરમિયાન યોજાશે.

આ પણ વાંચો : Breaking News: સ્ટેટ GST વિભાગના 31 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર દરોડા, 20 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા

29 જુલાઈએ સવારે 9થી12 દરમિયાન રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી, ખાનગી માધ્યમિક, તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલુ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો આ તમામ સેશનનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે. 29 જુલાઈએ બપોરે 2 વાગ્યા સુધીમાં શાળા કક્ષાએ કેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યુ તે અંગેની વિગતો પણ મોકલવાની રહેશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">