AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli ની શાંતાબા હોસ્પિટલમાં મોતીયાની સર્જરીમાં બેદરકારી બદલ સરકારે પાંચ કરોડનો દંડ ફટકાર્યો

આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂ. 10 લાખ જ્યારે અંશત : દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે.

Amreli ની  શાંતાબા હોસ્પિટલમાં મોતીયાની સર્જરીમાં બેદરકારી બદલ સરકારે પાંચ કરોડનો દંડ ફટકાર્યો
Amreli Shantaba Hospital
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 25, 2023 | 9:45 PM
Share

Amreli :અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા.

સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂપિયા 10 લાખ

આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂ. 10 લાખ જ્યારે અંશત : દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. આ બેદરકારીનો ભોગ બનેલા અને સધન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને રૂ. 2 લાખ ચૂકવવાનો આદેશ કરાયો છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, રાજ્યના એક પણ નાગિરકના આરોગ્ય સાથે ચેડા કરતી કે ગેરરિતી આચરતી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

મોતિયાના ઓપરેશન બાદ 12 જેટલા દર્દીઓને આંખે દેખાતુ બંધ થયુ

દર્દીઓનુ કહેવુ છે કે ઓપરેશન બાદ બીજા દિવસે પાટો ખોલ્યા બાદ તેમને કંઈ દેખાતુ ન હતુ. કેટલાક દર્દીઓની એવી પણ ફરિયાદ  હતી  કે તેમની યાદ શક્તિ પણ જતી રહી  હતી . રોશની ગુમાવેલા કેટલાક દર્દીઓને રાજકોટ, કેટલાકને અમદાવાદ અને કેટલાકને ભાવનગર સારવાર માટે રિફર કરવામાં આવ્યા  હતા. દર્દીઓના સ્વજનનો સીધો આરોપ હતો  કે મહિલા તબીબે આ તમામ દર્દીઓનુ ઓપરેશન કર્યુ હતુ અને ઓપરેશન બાદ તેમને દેખાતુ બંધ થયુ છે.

સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટનો લુલો બચાવ- ‘દર્દીઓએ ઓપરેશન બાદ બેદરકારી દાખવી’

આ તરફ અમરેલી સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ જણાવે છે કે મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને સ્વકાળજી લેવાની હોય છે. જેમા તેઓએ બેદરકારી દાખવી હતી. જેનાથી આંખનું ઈન્ફેક્શન ફેલાયુ  હતું. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ લુલો બચાવ કરી રહ્યા છે. જો કે એ માની શકાય કે કોઈ એક દર્દીએ ઓપરેશન બાદ બેદરકારી રાખી હોય પરંતુ શું 12 જેટલા દર્દીઓએ સામૂહિક બેદરકારી દાખવી અને તેના કારણે તેમને આંખમાં ઈન્ફેક્શન થયુ અને અંધાપો આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">