AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યની 98 ટકા સરકારી આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. પ્રક્રિયા પૂર્ણ કરી, વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી

રાજકોટ અને સુરતમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ નિમાયેલા તપાસ પંચ દ્વારા તટસ્થ તપાસ કરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા અને રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને ફાયર એન.ઓ.સી. મેળવવા માટે તાકીદ કરવામાં આવી હતી.

રાજ્યની 98 ટકા સરકારી આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. પ્રક્રિયા પૂર્ણ કરી, વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 6:03 PM
Share

વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલને સુરત અને રાજકોટની કોવિડ ડેઝિગ્નેટેડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પગલે મંત્રી ઋષિકેશ પટેલે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અને સૂરતની વિવિધ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે, રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના બનાવમાં 5 મૃતકોના પરિવારજનોને પરિવારદીઠ 5 લાખની સહાય આપવામાં આવી છે.તદ્ઉપરાંત ઇજાગ્રસ્તોને પણ સમયસર સારવાર આપવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.

ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લાગેલ આગ બાબતે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે મંત્રી શ્રી એ વિધાનસભાના પ્રશ્નોત્તરી સેશનમાં જણાવ્યું કે, કોવિડ ડેઝીગ્નેટેડ તમામ હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કરાવીને તેની કડક અમલવારી કરાવી છે.

મંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, રાજકોટ જિલ્લાની 81 આરોગ્ય સંસ્થાઓમાંથી 77 આરોગ્ય સંસ્થાઓમાં સેલ્ફ ડેકલેરેશન સહીતની એન.ઓ.સી અને સુરત જિલ્લાની 84 આરોગ્ય સંસ્થાઓમાં થી 71 સંસ્થાઓમાં સેલ્ફ ડેકલેરેશન ફાયર એન.ઓ.સી રજૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં 4 અને સુરતમાં 13 સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. માટે અરજી કરી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આગ લાગવાના બનાવ અંગે તપાસ કરવા માટે ન્યાયમૂર્તિ  ડી.એ. મહેતા તપાસ પંચની રચના કરવામાં આવી છે. તપાસ પંચ દ્વારા તટસ્થ તપાસ કરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા અને રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને ફાયર એન.ઓ.સી. મેળવવા માટે તાકીદ કરવામાં આવી હતી.

જેના સંદર્ભે 2617સરકારી આરોગ્ય સંસ્થાઓ પૈકી 2196 સરકારી આરોગ્ય સંસ્થાઓ દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવી લેવામાં આવી છે. જ્યારે 370 સંસ્થાઓ દ્વારા અરજી કરવામાં આવી છે.આમ રાજ્યની કુલ 98 ટકા આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી.ની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

આ પણ વાંચોઃ દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું, 7 વર્ષ પહેલાં 181 હેલ્પલાઈન શરૂ કરીને 9.90 લાખ મહિલાઓને મદદ પૂરી પાડી

આ પણ વાંચોઃ Banaskantha: પશુપાલનના વ્યવસાયમાં કરોડો રૂપિયા કમાતી બનાસ ડેરીની મહિલા પશુપાલકોનું મહિલા દિને શક્તિ પ્રદર્શન

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">