AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1413 કરોડના પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ કરાયું : ગૃહપ્રધાન અમિત શાહ

ગૃહ પ્રધાન અમિત શાહે પ્રજાને કોરોના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. કોરોના પોતાનો રૂપ બદલીને ફરી એકવાર આપણી વચ્ચે આવ્યો છે. ત્યારે તેના સામે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હું મુખ્યપ્રધાન ગુજરાતના આરોગ્ય વિભાગ અને ગાંધીનગરના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ ને લઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જાણકારી લઉં છું.

GANDHINAGAR : 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1413 કરોડના પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ કરાયું : ગૃહપ્રધાન અમિત શાહ
ગાંધીનગરમાં વિકાસ યોજનાઓનું લોકાર્પણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:27 PM
Share

GANDHINAGAR :  સુશાસન સપ્તાહની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આજે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં 49.36 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું. રાયસણના સ્વર્ણિમ સંસ્કૃતિ કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 2 અર્બન હેલ્થ ડેવલપમેન્ટ સેન્ટર અને ગાંધીનગરના જુદા જુદા વિસ્તારોમાં ૧૪ જેટલા ઉદ્યાનોનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગરના પ્રભારી મંત્રી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મેયર હિતેશ મકવાણા અને ગાંધીનગર મનપાના પદાધિકારિયો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ગાંધીનગરને વિકાસ કાર્યોની ભેટ બદલ ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમને ઉમેર્યું કે આઝાદી બાદ સ્વરાજ સાથે સુશાસનની જરૂર હતી. જે સૌપ્રથમ વખત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પૂરી પાડી હતી. પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની જોડીએ દેશમાં સુશાસનના અટલજીના સ્વપ્નને આગળ ધપાવ્યું છે. ગુજરાતને મોસાળે મા પીરસનારી છે ત્યારે વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માનું છું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે 2 PHC, 14 ઉદ્યાનના ઇ-લોકાર્પણ સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 468 આવાસોનું ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જનતા માટેના તમામ વિકાસ કાર્યો ગાંધીનગરની પ્રજાની સુવિધાઓમાં વધારો કરશે તેવું ગૃહ મંત્રીએ જણાવ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે કોરોના કાળ છતાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1413  કરોડના 1261 જેટલા પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ કરાયું.

કોરોના હજી ગયો નથી, સાવચેતી જરૂરી : અમિત શાહ

ગૃહ પ્રધાન અમિત શાહે પ્રજાને કોરોના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. કોરોના પોતાનો રૂપ બદલીને ફરી એકવાર આપણી વચ્ચે આવ્યો છે. ત્યારે તેના સામે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હું મુખ્યપ્રધાન ગુજરાતના આરોગ્ય વિભાગ અને ગાંધીનગરના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ ને લઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જાણકારી લઉં છું. કોરોના સામેની જંગમાં તંત્ર સાથે લોકોનો પણ સહકાર જરૂરી છે. તેથી હું લોકોને અપીલ કરી છું કે તેઓ કોરોના નિયમોનું પાલન કરે.

કોરોના સામે અત્યારે રસી જ એકમાત્ર હથિયાર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકોને રસીના બંને ડોઝ લેવા આગ્રહ કર્યો હતો. કેન્દ્ર સરકારે જ્યારે 15થી 18 વર્ષના બાળકો માટે રસી ને મંજૂરી આપી ત્યારે તેઓએ બાળકોને પણ રજીસ્ટ્રેશન કરાવી રસીકરણનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા.

આ પણ વાંચો : કોંગ્રેસ પાર્ટીને સપ્ટેમ્બરમાં મળશે નવો અધ્યક્ષ! શું રાહુલ ગાંધી ફરી બનશે પાર્ટી પ્રમુખ? મધુસૂદન મિસ્ત્રીએ આપ્યો આ જવાબ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">