ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 23 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 125 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1023 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી આજે 149 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 30,(Ahmedabad) સુરતમાં 26, વડોદરામાં 14, બનાસકાંઠામાં 08, વલસાડમાં 07, ગાંધીનગરમાં 06, સુરતમાં 06, કચ્છમાં 05, મહેસાણામાં 04, રાજકોટમાં 04, પાટણમાં 03, નવસારીમાં 02, સાબરકાંઠામાં 02, તાપીમાં 02, અરવલ્લીમાં 01, ભરૂચમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, જામનગરમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.
કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.
Published On - 9:47 pm, Fri, 23 September 22