GANDHINAGAR : BSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્યપ્રધાન નીતિન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 4:52 PM

GANDHINAGAR: રાજ્યમાં BSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં BSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર ધોરણ-12ના આધારે જ મેરીટ ગણશે. આ માટે NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે નહીં. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્યપ્રધાન નીતિન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે.

હવે B.Sc નર્સિંગ કરવા માંગતા વિધાર્થીઓને ધોરણ 12ના મેરીટના આધારે અત્યારની પદ્ધતિ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. એટલે કે, B.Sc નર્સિંગ માટે NEET ની પરીક્ષા જરૂરી નહીં. NEET નહીં પરંતુ ધોરણ-12ના રીઝલ્ટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. અગાઉ મેડિકલ, ડેન્ટલ બાદ કેન્દ્ર સરકારે આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ માટે નીટને ફરજીયાત કરી દેવાઇ હતી. પરંતુ હવેથી B.Sc નર્સિંગ માં જવા માંગતા વિદ્યાર્થીઓએ NEET આપવી ફરજીયાત નથી.

NEET 2021 UG પરીક્ષા આગામી મહીને 12 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ દેશભરમાં 13 ભાષાઓમાં લેવામાં આવશે.પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારોએ આધિકારિક વેબસાઇટની મુલાકાત લેવી. આ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 2021ની પરીક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આપવામાં આવેલી નવી સૂચના મુજબ NEETની પરીક્ષા માટે અરજી ફી ભરવાની અંતિમ તારીખ વધારીને 15 ઓગસ્ટ, 2021 કરવામાં આવી હતી.

 GANDHINAGAR An important decision of the state government for students seeking admission in BSC Nursing

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારથી પેપર બેંક એપ, 10 હજારથી વધુ પ્રશ્નપત્રો એક જ એપ્લીકેશનમાં મળશે

આ પણ વાંચો : CM રૂપાણીનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય, 56 જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઈ માટે પાણી અપાશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">