નોટબંધીમાં બિનહીસાબી રોકડને હિસાબી કરાઈ હોવાનો આક્ષેપ કરનાર ITના પૂર્વ અધિકારી-ભાજપના હોદ્દેદારે આત્મહત્યાનો કર્યો પ્રયાસ
નોટબંધીમાં કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ હિસાબી બનાવાઈ હોવાનો આક્ષેપ કરનાર આવકવેરાના પૂર્વ અધિકારી અને સુરત ભાજપના હોદ્દેદાર પી વી એસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નોટબંધીને લઈને આક્ષેપો કર્યા બાદ પીવીએસ શર્માને ત્યા આવકવેરા વિભાગના વ્યાપક દરોડા પાડ્યા હતા. જ્યાથી મોટી માત્રામાં બિનહિસાબી આવક શોધી કઢાઈ હોવાનો દાવો આવકવેરા વિભાગે કર્યો હતો. પીવીએસ શર્મા વિરુધ્ધ […]
નોટબંધીમાં કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ હિસાબી બનાવાઈ હોવાનો આક્ષેપ કરનાર આવકવેરાના પૂર્વ અધિકારી અને સુરત ભાજપના હોદ્દેદાર પી વી એસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નોટબંધીને લઈને આક્ષેપો કર્યા બાદ પીવીએસ શર્માને ત્યા આવકવેરા વિભાગના વ્યાપક દરોડા પાડ્યા હતા. જ્યાથી મોટી માત્રામાં બિનહિસાબી આવક શોધી કઢાઈ હોવાનો દાવો આવકવેરા વિભાગે કર્યો હતો. પીવીએસ શર્મા વિરુધ્ધ સુરતના ઉમરા પોલીસ મથકમા ફરીયાદ પણ દાખલ કરાઈ છે. પોલીસ શર્માન ધરપકડ કરે તે પહેલા જ પીવીએસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જો કે હાલ પીવીએસ શર્મા સુરતની મહાવીર હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો