સાંસદ Mohan Delkarના મોતના કેસમાં પ્રફુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મુંબઈ પોલીસે લોકસભા સાંસદ મોહન ડેલકરના(Mohan Delkar) મોત મામલે એક ફરિયાદ દાખલ કરી છે. મોહન ડેલકરને (Mohan Delkar) આત્મહત્યા કરવા માટે ઉકસાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે.
મુંબઈ પોલીસે લોકસભા સાંસદ મોહન ડેલકરના(Mohan Delkar) મોત મામલે એક ફરિયાદ દાખલ કરી છે. મોહન ડેલકરને (Mohan Delkar) આત્મહત્યા કરવા માટે ઉકસાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદને આધારે પોલીસે આ દિશામાં સઘન કાર્યવાહી હાથ ધરી છે. મોહન ડેલકરે તેની સુસાઇડ નોટમાં પ્રફુલ પટેલ અને અન્ય અધિકારીના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને અત્યાચાર વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના ગૃહપ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે SIT આ કેસની તપાસ કરશે. દેશમુખે વિધાનસભામાં જણાવ્યું કે ડેલકરે સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ ખેડા પટેલ તેમને પરેશાન કરતા હતા. સાંસદના પુત્ર અભિનવ ડેલકરે આરોપ લગાવ્યો છે કે પ્રશાસકે તેમના પિતાને અપમાનિત કરવામાં કોઈ કસર નથી છોડી. ડેલકરને બ્લેકમેઈલ કરવામાં આવતા હોવાના આક્ષેપ પણ અભિનવે કર્યા છે.
આ પણ વાંચો: કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને સ્ટાફની ભરતી NTA અથવા UPSC દ્વારા કરવા સૂચન