ચૂંટણી પ્રચારના હવાઈ પ્રવાસ દરમિયાન Tv9ને મુખ્યપ્રધાને કહ્યું, આઠેય બેઠક ભાજપ જીતશે, કોંગ્રેસના કારણે પેટાચૂંટણી આવી હોવાનું કહેતા પાટીલ
ગુજરાતમાં વિધાનસભાની આઠેય બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. તો આ પેટાચૂંટણી માટે કોંગ્રેસ જવાબદાર હોવાનો આક્ષેપ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કર્યો છે. ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે Tv9 ગુજરાતીને હવાઈયાત્રા દરમિયાન આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં મુખ્યપ્રધાને […]
ગુજરાતમાં વિધાનસભાની આઠેય બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. તો આ પેટાચૂંટણી માટે કોંગ્રેસ જવાબદાર હોવાનો આક્ષેપ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કર્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે Tv9 ગુજરાતીને હવાઈયાત્રા દરમિયાન આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં મુખ્યપ્રધાને કહ્યું કે, ઉમેદવારોને લઈને ભાજપમાં કોઈ નારાજગી નથી. ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા સૌ ચૂંટણીના કામમાં લાગ્યા છે. ધારી બેઠક ઉપર ભાજપ ફતેહ મેળવશે તેમ કહ્યું હતું. તો પેટા ચૂંટણીના પરીણામો પોતાના માટે લીટમસ ટેસ્ટ પોતાના માટે નહી પરંતુ કોંગ્રેસ માટે હોવાનું સી આર પાટીલે જણાવ્યુ હતું.
ભાઈ વિરુધ્ધ ભાઉની લડાઈ જેવા કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દે મુખ્યપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. તેથી વાહીયાત વાતો કરે છે. જેની સાથે પ્રજાને કોઈ જ લેવાદેવા ના હોય તેવી વાતો કરે છે. તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યુ કે પ્રદેશમાં સ્વીકૃત ના હોય તેવા કોંગ્રેસના નેતાઓ પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો